Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૩૪ કેસ નોંધાયા

રાજ્યમાં આજે કુલ ૫૫,૮૬૫ રસીના ડોઝ અપાયા હતા : ૧૫૯ દર્દી રિકવર, એક પણ મોત નહી

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૨૩૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૫૯ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૫,૧૯૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૧ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં આજે કુલ ૫૫,૮૬૫ રસીના ડોઝ અપાયા હતા. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૨૬૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૬ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૧૨૫૫ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૫,૧૯૨ નાગરિકો હરાવી ચુક્યાં છે.

તો બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨૮, વડોદરા કોર્પોરેશન ૨૨, સુરત કોર્પોરેશન ૨૭, ભાવનગર કોર્પોરેશન ૧૨, વલસાડ ૭, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન અને સુરતમાં ૪-૪, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં ૩-૩ કેસ નોંધાયા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠામાં ૨-૨, ભાવનગર, ખેડા, નવસારી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયો હતો.

આ પ્રકારે કુલ ૨૩૪ કેસ નોંધાયો હતો. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૦૧ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૦૫૯૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૭૨૫ ને રસીનો પ્રથમ અને ૩૯૩૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૨૭૩૧૨ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૧૫૭ ને રસીનો પ્રથમ અને ૯૦૩૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫૫,૮૬૪ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૮,૫૩,૫૨૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.