Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં નદીઓ જાેખમી સ્તરે, યાત્રાળુને સાવચેત કરાયા

તારીખ ૨ અને ૩ જૂલાઈ સુધી દેહરાદુન, બાગેશ્વર, નૈનીતાલ, ચમોલી, પિથૌરાગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું:  અનેક નદીઓમાં પુર

દેહરાદુન,જાે તમે બદ્રીનાથ ધામ અથવા પહાડો તરફ જવાનું વિચારી રહ્યા હોય તો હવામાનને લઈને સતર્ક રહેજાે કારણ કે, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા દેહરાદુન સહીત પહાડોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ વખતે સામાન્યથી ૯ દિવસ બાદ ઉત્તરાખંડમાં આવેલા ચોમાસાને કારણે છેલ્લા ૨ દિવસોથી અનેક સ્થળો પર સતત અથવા તો થોડા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે પરંતુ પર્વતોમાં આફત સર્જાઈ છે. ખાસ કરીને પિથોરાગઢ અને બાગેશ્વરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

બાગેશ્વરમાં મંગળવાર બાદ બુધવારે પણ ખૂબ જ વરસાદ થયો પડ્યો હતો. થોડા કલાક વરસાદ બંધ રહ્યા બાદ સતત તેજ વરસાદના કારણે સરયૂ અને ગોમતી નદીઓમાં જળસ્તર જાેખમની નિશાની નજીક છે. નદી સરયુ ઘાટ પર ચઢી ગઈ છે તો ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

નદી નાળા તૂટવાને કારણે ડઝનબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને જિલ્લામાં બે પુલ ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે. ઘણા લોકોને ઘર છોડવા માટે પણન મજબૂર થયા છે. આ વખતે ચોમાસાને કેરળથી ઉત્તરાખંડ પહોંચવામાં લગભગ ૧ મહિનાનો સમય લાગ્યો છે જ્યારે ગયા વર્ષે તે સામાન્ય એટલે કે, ૨૦ જૂનથી એક અઠવાડિયા અગાઉ જ પહોંચી ગયું હતું.

ઝોનલ હવામાન કેન્દ્રના નિયામક વિક્રમ સિંહનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, આગામી ૩ દિવસ એટલે કે, ૨ અને ૩ જૂલાઈ સુધી દેહરાદુન, બાગેશ્વર, નૈનીતાલ, ચમોલી, પિથૌરાગઢમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટનો મતલબ થાય છે કે, આ વિસ્તારોમાં વરસાદના કારણે ભૂસ્ખલન અથવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

યાત્રીઓ માટે આ ખૂબ જ સતર્ક રહેવાની ચેતવણી છે. ખાસ કરીને યાત્રીઓએ પહાડો તરફ જતી વખતે હવામાનની અપડેટ્‌સ લઈને જ તૈયારી સાથે યોજના બનાવવી જાેઈએ. ગઈકાલે બુધવારથી લઈને આજે ગુરુવાર સવાર સુધીની સ્થિતિ પર નજર કરીએ તો નૈનીતાલ જિલ્લામાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે વાતાવરણ ખુશનુમા છે પરંતુ ભારે વરસાદની ચેતવણી છે. રામનગર અને ભીમતાલમાં સારો વરસાદ થયો છે.

ઉત્તરકાશીમાં શહેરના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. અલ્મોડા અને રુદ્ર પ્રયાગ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે.ચમોલીમાં બુધવારે બપોર બાદ અનેક સ્થળો પર મૂશળધાર વરસાદના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર રસ્તા નજીકના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું.

સૈનવલી ગામમાં રસ્તાનું પાણી સીધું ઘરોમાં ઘૂસી જતાં બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત જાેવા મળ્યું હતું. કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ ગૌરીકુંડમાં બે દિવસના ભારે વરસાદથી મુખ્ય બજારના રસ્તાઓ ભરાઈ ગયા હતા. યાત્રાળુઓની સાથે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ હતા.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.