Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ દિલ્હીથી મોકલેલો પ્રસાદ લઈ હિતેશ બારોટ જગન્નાથ મંદિર પહોંચ્યા

અમદાવાદ, વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારની પરંપરા જાળવી રાખી છે. તેઓએ ગઈકાલે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલ્યો હતો.

દિલ્હીથી પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મોકલેલો પ્રસાદ લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિરે પહોંચ્યા હતા. પ્રસાદમાં મગ, જાંબુ, કેરી સહિતની વાનગીઓ રાખવામાં આવી હતી.

વડાપ્રધાને મોકલાવેલો પ્રસાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને ધરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગન્નાથ મંદિરે રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ મોકલતા હતા. તે પ્રમાણે જ આ વર્ષે પણ તેમણે પ્રસાદ મોકલાવ્યો હતો.

દિલ્હીથી PM નરેન્દ્રભાઈ મોદીએ મોકલેલો પ્રસાદ લઈ અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિરે પહોંચ્યા હતા, પ્રસાદમાં મગ, જાંબુ, કેરી સહિતની વાનગીઓ

Taking the offerings sent by the Prime Minister from Delhi, Hitesh Barot reached the Jagannath Temple


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.