Western Times News

Gujarati News

MGVCLની બેદરકારીથી ખેડૂતોની વાવણી નિષ્ફળ ગઇ

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના ફેરકુવા અને જાેડાવાંટ ગામે વીજ કંપની MGVCLની બેદરકારીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક અઠવાડિયાથી તૂટી પડેલા વીજપોલ અને વીજ લાઈનનું સમારકામ ન કરવામાં આવતા ખેડૂતોની વાવણી નિષ્ફળ જાય તેવી ચિંતા સેવાઈ રહી છે

ફેરકુવા અને જાેડાવાંટ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે એક અઠવાડિયા પહેલા વાવાઝોડાને કારણે વીજપોલ પડી ગયા હતા જેના કારણે સમગ્ર પંથકમાં ખેતીની વીજળી બંધ છે. મહત્વની વાત એ છે આ વિસ્તારમાં વહેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાયો જેને લઈ હાલ વાવણી ને બચાવવા પાણીની તાતી જરૂર છે અને આવા કપરા સમયે વીજળી ન હોવાને કારણે ખેડૂતોને મોટું નુકશાન થાય તેવી ચિંતા સતાવી રહી છે.

ફેરકુવા અને જાેડાવાંટ ગામમાં કુવા, બોરવેલમાં પાણી છે પરંતુ લાઈટ જ નથી તો પાણી કેવી રીતે અપાય. તૂટેલા વીજપોલ અને વીજ વાયરો નેશનલ હાઈવેની નજીક જ પડ્યા છે. પરંતુ વારંવાર વીજ કંપનીને રજૂઆતો કરવા બાદ પણ કોઈ નિકાલ આવતો નથી. એક તરફ વરસાદ ન આવતા કુદરતનો માર અને બીજી તરફ વીજ કંપનીની બેદરકારીના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જાે કે MGVCLના અધિકારીઓ ઘટનાથી અત્યારસુધી અંજાણ હોવાનું જણાવી ઝડપી કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.