Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા NDRF ટીમ સ્ટેન્ડ બાય

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.જેના કારણે ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.ત્યારે અંકલેશ્વરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અંકલેશ્વર શહેરમાં ૨૪ કલાકમાં ૨.૭૮ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વરથી સુરતને જાેડતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પડી છે.જ્યારે આમલાખાડી ઓવરફ્લો થતા પીરામણ ગામથી વાલિયા ચોકડીને જાેડતા માર્ગ પર પાણી ફરી વળતા ત્યાંથી પણ અવર-જવર કરતા વાહન ચાલકોને અસર થઈ છે.

અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની બૂમ પડી હતી.જેમાં તડ ફળિયા, સંજયનગર જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.ત્યારે આ વિસ્તારના રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.NDRF team stand by as low-lying areas get waterlogged by heavy rains in Ankleshwar

જ્યારે દિવા રોડ પર આવેલા જલારામ નગરમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આજ વિસ્તારમાં આવેલી એસવીએમ સ્કૂલના બાળકોને ભારે વરસાદના કારણે રજા આપી દેવામાં આવી છે.

આ અંગે અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે અંકલેશ્વર વરસી રહેલા વરસાદના કારણે ૧૩ ગામોને અસર થવાની સંભાવના હોવાથી તાલુકા વહીવટી તંત્ર ખડેપગે રહીને આશ્રય સ્થાનથી લઈને જમવા સુધીની કામગીરી કરાઈ છે. ત્યારે અંકલેશ્વરમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા ૪૦ જવાનોની એક જીડ્ઢઇહ્લની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.