Western Times News

Gujarati News

અનુપમામાં ગૌરવ ખન્નાના પાત્રના ટ્રેકનો ખૂબ જલ્દી આવશે અંત

મુંબઈ, રાજન શાહીના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી પોપ્યુલર સીરિયલ અનુપમા ઓન-એર થઈ તેને હાલમાં જ બે વર્ષ પૂરા થયા છે અને તેણે દર્શકોના દિલમાં અનોખું સ્થાન જમાવી લીધું છે.

સીરિયલ તેવી મહિલાની કહાણી છે, જેને પોતાના જ ઘરમાં માન-સન્માન ન મળતા પતિને ડિવોર્સ આપી દે છે અને કોલેજના મિત્ર અનુજ કપાડિયા સાથે લગ્ન કરીને ફરીથી સુખી લગ્નજીવન જીવી રહી છે.

અનુપમા અને અનુજ કપાડિયાની જાેડીએ દર્શકોના દિલમાં તો એવું સ્થાન જમાવી લીધું છે કે, બંને એક એપિસોડમાં પણ જાે સાથે ન દેખાય તો તેઓ બેચેન થઈ જાય છે. ફેન્સે તેમને ઈંસ્ટ્ઠછહ હુલામણું નામ પણ આપ્યું છે અને ઘણીવાર ટિ્‌વટર પર તેને ટ્રેન્ડ કરે છે.

જાે કે, અનુપમાના હાલના પ્રોમોમાં અનુજનો ફોટો દિવાલ પરથી પડ્યા બાદ તૂટતાં દેખાડતાં ફેન્સ ખુશી નથી. ગૌરવ ખન્નાના પાત્ર પર ટૂંક સમયમાં પૂર્ણવિરામ મૂકાશે તેવી અટકળો ફેન્સ લગાવી રહ્યા છે. ગૌરવ ખન્ના, જે અનુજનું પાત્ર ભજવી રહ્યો છે, તે હાલના એપિસોડમાં ખૂબ ઓછો દેખાઈ રહ્યો છે.

‘અનુપમા’માં તેનો સ્ક્રીન ટાઈમ ઓછો થતાં અને નવા પ્રોમોમાં અનુજની ફોટો ફ્રેમ પડીને તૂટી જતાં દેખાડતાં, ફેન્સને લાગી રહ્યું છે કે તેનો ટ્રેક જલ્દી ખતમ થઈ જશે. જાે કે, સોશિયલ મીડિયા પર ઈંસ્ટ્ઠછહના ફેન્સ ‘અનુજ ઈઝ હોપ’ ટ્રેન્ડ કરી રહ્યા છે અને સાથે શોમાંથી તેની વીડિયો ક્લિપ શેર કરી રહ્યા છે.

નવા પ્રોમોમાં, અનુપમા કહે છે કે તેની જવાબદારી તેની દીકરી, કિંજલ, તેના આવનારા બાળકની સાથે-સાથે શાહ અને કપાડિયાના સંબંધો સાચવવાની પણ છે. તે આગળ કહે છે, તે અનુજના દરેક સપના પૂરા કરવા માગે છે અને તે જ સમયે અનુજની ફોટો ફ્રેમ દિવાલ પરથી પડે છે અને તૂટી જાય છે.

દૈનિક ધારાવાહિક સીરિયલોમાં જ્યારે પણ ફોટો ફ્રેમ તૂટે છે, ત્યારે તે એ દર્શાવે છે કે ચોક્કસ પાત્રના ટ્રેકનો અંત આવવાનો છે. ફેન્સ અનુજ વગર અનુપમાના ભવિષ્ય પર સવાલ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે ‘તે હવે આ શો માટે એકમાત્ર જ આશા છે.

અમારી આશા પર પાણી ન ફેરવવાની વિનંતી. એક ફેને લખ્યું છે ‘ઓકે, પરંતુ ફેન્સ જેમણે પહેલા દિવસથી શો જાેયો છે, તેઓ પણ અનુપમા સાથેની ઈમોશનલ રોલર કોસ્ટર રાઈડમાં જાેડાયા હતા. કારણ કે, કોણે વિચાર્યું હતું કે અનુપમા આટલી ખુશ દેખાઈ શકે? અનુજ ઈઝ હોપ, જે તેની ખાલી આંખોમાં સપના લાવ્યો.

પ્રેમ ન કરવા જેવું શું છે? એક ફેને લખ્યું છે ‘અમે બે એપિસોડમાં તેને જાેયા વગર રહી શકતા નથી અને તેમને એવુ લાગે છે તે તેના વગર અમે શો જાેઈશું’. ગૌરવ ખન્ના રહેશે કે શોમાંથી તેનું પત્તું કપાશે તે આગામી સમયમાં જ જાણવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.