Western Times News

Gujarati News

ગુજરાતમાં ચોરી, અપહરણ, હત્યાઓ જેવી ઘટનાઓ વધી

Files Photo

અમદાવાદની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૧માં કુલ ૪૪ હત્યાઓ નોંધાઈ હતી જે ૨૦૨૨માં વધીને ૪૮ થઈ

અમદાવાદ,  ગુજરાત રાજ્યના તેમજ અમદાવાદ સહિતના મોટા શહેરોના ગુનાહિત પ્રવૃત્તિઓના આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર, ગુજરાત રાજ્યની વાત કરીએ કો ગત વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી જેટલી હત્યા થઈ હતી તેમાં એક ટકાનો ઘટાડો થયો છે.

પરંતુ જાે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૧માં શહેરમાં કુલ ૪૪ હત્યાઓ નોંધાઈ હતી જે ૨૦૨૨માં વધીને ૪૮ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રથમ છ મહિનાઓ દરમિયાન હત્યાનો પ્રયાસ, લૂંટ વગેરે જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૨૧માં ૧૪ હત્યાના કેસ નોંધાયા હતા જેની સરખામણીમાં ૨૦૨૨માં અત્યાર સુધી ૨૪ કેસ નોંધાયા છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં વર્ષના શરુઆતના મહિનાઓમાં હત્યાના પ્રયાસની ઘટનાઓ પણ વધી છે. સુરત સહિત ઉપરોક્ત ત્રણ શહેરોમાં આવા ૧૩૯ કેસ નોંધાયા છે જેની સંખ્યા વર્ષ ૨૦૨૧માં ૧૧૬ હતી. માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ ૨૦૨૧માં જ્યારે મોટા ગુનાઓની સંખ્યા ૭૦૦૯ હતી ૨૦૨૨માં તે વધીને ૧૧૬૫૧ થઈ ગઈ છે.

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં વિવિધ પ્રકારના ગુનાઓમાં સૌથી મોટો વધારો અપહરણના ગુનામાં જણાયો છે. વર્ષ ૨૦૨૧માં જ્યાં ૬૪૯ કેસ નોંધાયા હતા તે વધીને ૨૦૨૨માં ૯૩૩ થઈ ગયા છે. જાે હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાની વાત કરવામાં આવે તો, ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના કેસમાં પરિવારના સભ્યો જ તેની સાથે સંકળાયેલા હોય છે.

કોરોના મહામારી પછી હત્યા અને હત્યાના પ્રયાસના ૧૫ ટકા કેસ એવા હોય છે જેમાં કારણ કોરોનાને કારણે ઉભી થયેલી નાણાંકીય કટોકટીની સ્થિતિ હોય છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૨૦૨૧માં લોકડાઉનની સ્થિતિ હતી અને કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો હતો.

નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સડકો પર પોલીસ હાજર હતી, માટે ક્રાઈમ રેટમાં પણ ઘટાડો નોંધાયો હતો. પણ ૨૦૨૧માં સ્થિતિ સામાન્ય થતાં જ ગુનેગારો પણ કાર્યરત થઈ ગયા હતા. પરંતુ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે. હત્યાના ઘણાં ઓછા કેસ એવા છે જેનું નિરાકરણ નથી આવ્યું.

નામ જાહેર ન કરવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે જાેયું કે નજીવી બાબતે શરુ થનારી લડાઈ મોટું રૂપ લઈ લેતી હોય છે. જેના કારણે ગુનાઓની સંખ્યા વધે છે. શાળા-કોલેજાે શરુ થઈ જતાં અપહરણના કેસ પણ વધ્યા છે. ખાસકરીને ૧૫થી ૧૮ વર્ષની ઉંમર ધરાવતી શાળા-કોલેજ જતી વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ કરવામાં આવે છે.

અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં કુલ ૧૧૬૫૧ મોટા ગુનાઓ નોંધાયા હતા જેમાંથી ૧૦૮૬૪ સોલ્વ થઈ ગયા છે. ગંભીર અને મોટા ગુનાઓની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ૬૬ ટકા, છોટા ઉદેપુરમાં ૬૯ ટકા, જામનગરમાં ૨૯ ટકા, ગીર-સોમનાથમાં ૧૯ ટકા અને વડોદરા ગ્રામીણમાં ૧૪ ટકાનો વધારો નોંધાયો છે. આ બાબતે ડીજીપી આશિષ ભાટિયા જણાવે છે કે, હજી સુધી મેં ડેટાનું વિશ્લેષણ નથી કર્યું. પણ વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ગુનાઓ વધ્યા છે. તે સમયે લોકડાઉન હતું અને લોકો ઘરમાં હતા. આ સિવાય પોલીસ ફોર્સ પણ મોટી સંખ્યામાં તૈનાત હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.