Western Times News

Gujarati News

મહાદેવનું આ અનોખું મંદિર જ્યાં મંગળવારે પૂજન અર્ચન કરવાનું વિશેષ મહત્વ

તમામ શિવ મંદિરોમાં શિવલિંગ ઉપર એક નાગ હોય છે જ્યારે અહીં નાગ નાગણનું જાેડું બિરાજમાન છે.

પાવન શ્રાવણ માસ એટલે શિવ આરાધનાનો મહિમા-અંગારેશ્વરના મંગલનાથ મહાદેવની મંગળવારે પૂજન અર્ચન કરવાનો વિશેષ માહત્મ્ય

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રાવણના સોમવારે શિવજીના પૂજન અર્ચનનું માહત્મ્ય રહેલું છે.ત્યારે ભરૂચ તાલુકા ની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ અંગારેશ્વર ગામ ના મંગલનાથ મહાદેવ ની મંગળવારે પૂજન અર્ચન કરવાનો વિશેષ માહત્મ્ય રહેલું છે.જ્યાં મંગળદોષ માટે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હોય છે.

પરતું બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે મંદિરો બંધ હોવાથી દુર દુર થી આવતા શ્રધ્ધાળુઓને મહાદેવના દર્શનનો લ્હાવો લીધા વિના જ પાછા ફરવું પડતું હતું.પરંતુ હવે કોરોના નહિવત હોવાથી પુનઃ મંદિર ના દ્વાર ખુલ્લા શિવભક્તો હવે દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

મંગળનાથ મહાદેવના પ્રાગટ્ય વિષે ની એક એવી કથા પ્રચલિત છે કે સતયુગમાં મહાન તપસ્વી અંગારક ઋષિ જન્મ કુંડળી માં મંગળ ગ્રહ નો દોષ હતો પરિણામે તેમને પૂજન અર્ચન જપ તપ કે સાધના જેવા અનેક ધર્મ કાર્યો કરવામાં પણ વિધ્ન આવતા હતા

આ વિધ્ન ના નિવારણ અર્થે અંગારક ઋષિએ અહી નર્મદા નદી ના ઘાટ ઉપર મંગળ દોષ નિવારણ અર્થે શિવજીની આરાધના કરી હતી.જેને કારણે ધાટ નું નામ અંગારક ઘાટ અને ગામનું નામ અંગારેશ્વર પડ્યું હતું.અંગારક ઋષિ તપસ્યા ને કારણે પ્રસન્ન થયેલ શિવજીએ અંગારક ઋષિ ના મંગળ દોષનું નિવારણ કરવા સાથે વરદાન આપ્યું હતું કે અહી પાંચ વસ્તુ થી જે કોઈ પૂજા અર્ચના કરશે તેના મંગળ દોષ નું નિવારણ થશે.

આમ અહી બિરાજમાન શિવજી આજે કળયુગ માં પણ અહી મંગળનાથ મહાદેવ ના નામે પુંજાય છે.મંગળ ગ્રહની ઉત્પત્તિ વિશે શિવપુરાણમાં આલેખાયું છે કે અસંખ્ય વર્ષો સુધી સમાધી માં લીન રહેલા ભગવાન શંકરે જયારે સમાધિ છોડી ત્યારે કઠોર તપસ્યાને કારણે તેમના લલાટ ઉપર ઉદ્દભવેલ પરસેવા નું ટીપું પૃથ્વી પર પડતાં તેણે મનોહર આકાર લાલવર્ણ

અને ચાર ભુજાવાળા બાળકનું સ્વરૂપ ધારણ કર્યું હતું.ભગવાન શંકરના આ પરસેવા માંથી પ્રગટેલું અને ભૂમિ ઉપર જન્મ ધારણ કરનાર આ બાળકનું પણ શિવ આજ્ઞા થી પૃથ્વી માતાએ કર્યું અને એટલે જ તે ભૌમ ના નામે પ્રસિદ્ધ થયો યુવા કાળ માં તે કાશી ગયા અને ત્યાં લાંબો સમય સુધી શિવજી ની સેવા કર્યા પછી વિશ્વનાથ ની કૃપા થી ગ્રહની પડવી મેળવી દિવ્યલોક ચાલ્યા ગયા હતા.

નર્મદા પુરાણની કથા અનુસાર નર્મદાના અંગારક ઘાટ આગળ આવેલા આ શિવાલયને મંગળનાથ મહાદેવના નામ થી ઓળખાય છે.નર્મદા પુરાણના રેવાખંડ શ્લોન નંબર ૧૪૮ માં મંગળનાથ તીર્થના મહિમાનું વર્ણન કરાયું છે.

તમામ શિવ મંદિરોમાં શિવલિંગ ઉપર એક નાગ હોય છે જ્યારે અહીં નાગ નાગણનું જાેડું બિરાજમાન છે.તે ઉપરાંત સોમવારે પૂજાતા શિવજી અહીં મંગળવારે પૂજાય છે.

અંગારેશ્વર ગામના મંગળનાથ મહાદેવનો અનેરો મહિમા હોય અંગારકી ચોથ તેમજ શ્રાવણના મંગળવારે શ્રધ્ધાળુઓ અનેરી શ્રધ્ધા સાથે ઉમટતા હોય છે.

તો લોકો મંગળદોષના નિવારણ માટે અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ આવે છે અને મંગળદોષ નિવારણ ની વિધિ કરી તેમાંથી મુક્તિ મેળવે છે.તેથી શ્રાવણ માસ ના મંગળવાર અને અંગારકી ચોથ ના દિવસે અહીં ભારે ભીડ જાેવા મળે છે. ભરૂચ થી ૨૫ કિલોમીટર ના અંતરે આવેલ અંગારેશ્વરને પ્રવાસનધામ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઉભી કરવા સાથે મંગળનાથ મહાદેવના મંદિરનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.