Western Times News

Gujarati News

આ કારણસર આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં તાજમહેલ લાઈટીંગ થશે નહિં

Tajmahal Agra

દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પર આ વખતે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના લગભગ તમામ ઐતિહાસિક સ્થળો રાત્રે તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠે છે. આમ છતાં ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ અંધકારમાં છવાયેલો છે.

વાસ્તવમાં આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર સોશિયલ મીડિયા પ્રોફાઈલની ડીપી બદલીને તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે અને દરેક ઘર પર તિરંગો ફરકાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સરકારી સંસ્થાઓ અને સ્મારકોને તિરંગાની રોશનીથી ઝળહળતી કરવામાં આવી રહી છે. આગ્રામાં પણ ઐતિહાસિક ઈમારતોને શણગારવામાં આવી છે, જ્યારે તાજમહેલમાં આવો કોઈ કાર્યક્રમ નથી.

ઘણા મીડિયા અહેવાલો અનુસાર, છેલ્લી વખત ૧૯૯૭માં એક શો દરમિયાન તાજમહેલને રોશનીથી ઝગમગામાં આવ્યો હતો, ઘટનાના બીજા દિવસે સવારે, તાજમહેલ સંકુલમાં કેટલાય જીવજંતુઓ મૃત મળી આવ્યા હતા. આ પછી જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની કેમિકલ બ્રાન્ચે તેની તપાસ કરી તો અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા.

આ પછી, તાજમહેલમાં પ્રકાશની મંજૂરી આપવામાં આવી ન હતી, કારણ કે જંતુઓના મૃત્યુને કારણે, તાજમહેલ પર ડાઘ પડી ગયા હતા.

જાકે, બીજા વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્યએ મિત્ર દેશો સામે આત્મસમર્પણ કર્યું ત્યારે પ્રકાશિત તાજમહેલનો સૌથી પ્રખ્યાત ફોટો હતો. તે સમયે આગ્રાના તાજમહેલમાં ભારતના મિત્ર દળો માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે તાજમહેલ ફ્લડ લાઇટથી ઝગમગી ઉઠ્‌યો હતો.

તેની ઘણી તસવીરો ચર્ચામાં રહી હતી. હાલમાં ફરી એકવાર તાજમહેલમાં લાઇટ ન પડવાનો મામલો સામે આવ્યો છે. પરંતુ તેનું સાચું કારણ એ છે કે તેના કારણે ત્યાં જંતુઓ મરી જાય છે અને તેનાથી તાજમહેલ પર ડાઘા પડી જાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.