Western Times News

Gujarati News

અમદાવાદમાં કેશલેશ સુવિધા બંધ કરાતાં ખાનગી હોસ્પિટલોમાં ૩૦ ટકા સર્જરી રદ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની દોઢસોથી વધુ ખાનગી હોસ્પિટલોએ ચાર્જ રીવાઈઝ નહી કરવા સહીતના મુદ્દે ચાર સરકારી વીમા કંપનીની કેશલેશ સુવિધા આઠ દિવસ માટે બંધ કરી છે. જેના કારણે ૮મી ઓગષ્ટના પહેલા દિવસે શહેરમાં ૩૦ ટકા જેટલી પ્લાન્ડ સર્જરી કેન્સલ થઈ હતી

જયારે બાકીના ૭૦ ટકા જેટલા દર્દીએ કેશલેશને બદલે વીમાની રીએમ્બર્સ સેવાનો લાભ લીધો હતો. શહેરની ખાનગી હોસ્પીટલોમાં રોજના સરેરાશ બે હજાર જેટલા દર્દી કેશલેશ સેવાનો લાભ લેતાં હોય છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સીગ હોમ્સ એસોસીએશને ૮થી૧પ ઓગષ્ટ સુધી કેશલેશ સુવિધા બંધ રાખવા એલાન આપ્યું હતું. પહેલા દિવસે જ ૩૦ ટકા જેટલી સર્જરી કેન્સલ થઈ હોવાનું આહના સાથે સંકળાયેલા તબીબોએ કહયું છે.

ખાનગી હોસ્પીટલોએ ધી ન્યુ ઈન્શોયરન્સ કંપની લી.યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કં.લી. અને ધી ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કં.લીના વીમા ધારકોને કેશલેસ સેવા બંધ કરી છે. આ નિર્ણય લેવા પાછળના કારણ અંગે તબીબો કહે છે કે, કેટલાક સર્જરી તેમજ પ્રોસીજર માટે ઈન્સ્યોરન્સ કંપની દ્વારાશ ફીકસ ચાર્જીસ નકકી કરાયા છે.

અલબત્ત ડાયાબીટીસ હૃદય રોગ જેવી કો-મોબીડીટીને ધ્યાને લેવામાં કવોલીટી સારવાર આપી શકાય તેમ નથી હોસ્પીટલોના ચાર્જ છેલ્લા કેટલાક વર્ષોથી રીવાઈઝ કરાયા નથી તે ચાર્જીસ હેલ્થ ઈન્ફેકશન ઈન્ડેક્ષ પ્રમાણે ૬ ટકા દર વર્ષ પ્રમાણે વધારી આપવા જાેઈએ તેવી ખાનગી હોસ્પિટલોના માગ છે. જાે આ અંગે નિર્ણય નહી લેવાય તો લાંબા સમય સુધી કેશલેશ સેવા સ્થગીત કરવાની ચીમકી અપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.