Western Times News

Gujarati News

કેડિલા બ્રીજ નજીક યુવકે ટ્રેન નીચે પડતું મુક્યું

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓના પગલે રિવરફ્રંટ પર પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે આ દરમિયાનમાં શહેરના કેડીલાબ્રીજ પાસે એક યુવકે ટ્રેનની નીચે પડતું મુકી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે પોલીસે યુવકની ઓળખવિધિ કરી પરિવારજનોને જાણ કરી હતી જયારે બીજી ઘટનામાં શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિઅે  પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના નારોલ વિસ્તારમાં જુની નારોલ કોર્ટની પાછળ હર્ષિતનગરમાં રહેતો અરૂણકુમાર ગોવિંદકુમાર દુબે નામનો ૩૩ વર્ષીય યુવક બે દિવસ પહેલા સાંજના સમયે ઈસનપુર પોલીસ સ્ટેશન હેઠળના કેડીલાબ્રીજની બાજુમાં ઉભો રહી ગયો હતો આ દરમિયાન ટ્રેન નજીક આવતા જ તેણે ટ્રેનની નીચે ઝંપલાવ્યુ હતું

તેની ઉપરથી ટ્રેન પસાર થઈ જતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ ઈસનપુર પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી તપાસ કરતા યુવકની ઓળખવિધી થઈ શકી હતી અને તપાસનીશ પોલીસ સબ ઈન્સ્પેકટર પી.કે. ગોહિલે મરનાર અરૂણકુમારના પરિવારજનોને જાણ કરી હતી જેના પગલે પરિવારજનો પણ દોડી આવ્યા હતાં. પોલીસે પરિવારજનોની પુછપરછ કરી આત્મહત્યાનું કારણ જાણવાના પ્રયાસો કર્યાં હતાં.

આત્મહત્યાનો બીજા બનાવ કૃષ્ણનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં નવા નરોડા ધરણીધર બંગ્લોઝમાં રહેતા મીતિન પ્રભુદાસ રાઠોડ બે દિવસ પહેલા પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકી હતી આ અંગેની જાણ થતા કૃષ્ણનગર પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ પોલીસ ઈન્સ્પેકટર એન.એસ. સાકરિયા ચલાવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.