Western Times News

Gujarati News

શોપિયાંમાં મજૂરોની હત્યા કરનાર આતંકવાદી માર્યો ગયો

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં ગ્રેનેડ ફેંકીને બે મજૂરોની હત્યા કરનાર આતંકવાદી ઈમરાન બશીર ગનીને આતંકવાદીઓએ એન્કાઉન્ટરમાં માર્યો હતો.

મજૂરોની હત્યાના મામલામાં સુરક્ષા દળોએ આતંકવાદી ઈમરાન ગનીને પકડ્યો હતો, ત્યારબાદ તેની પૂછપરછના આધારે અન્ય આતંકવાદીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસ-આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં આતંકી ઈમરાન માર્યો ગયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદી ઈમરાન ગનીના મોતની પુષ્ટિ કરી છે.

પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળની ટીમ આતંકવાદી ઈમરાન સાથે નૌગામ પહોંચી હતી જ્યાં તેનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકી ઈમરાન ગની આતંકીઓની ગોળીઓથી માર્યો ગયો હતો.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.