Western Times News

Gujarati News

વડોદરા એવિએશન સેક્ટરના હબ તરીકે જાણીતું બનશેઃ મોદી

ટાટા-એરબસના સ્થપાનારા પ્લાન્ટનો શિલાન્યાસ

વડોદરા, વડોદરામાં ટાટા-એરબસના સ્થપાનારા પ્લાન્ટનો શિલાન્યાસ કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ આ પ્રોજેક્ટને વડોદરા, ગુજરાત તેમજ દેશ માટે એક અણમોલ ભેટ સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત દુનિયાનું મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે.

ભારત આજે પોતાનું ફાઈટર પ્લેન બનાવી રહ્યું છે, પોતાની ટેન્ક તેમજ સબમરીન બનાવી રહ્યું છે અને ભારતમાં બનેલી દવાઓ અને વેક્સિન પણ દુનિયાભરમાં લાખો લોકોનું જીવન બચાવી રહ્યા છે.

પીએેમે જણાવ્યું હતું કે ભારતમાં બનેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્‌સ, મોબાઈલ ફોન્સ, ભારતમાં બનેલી કાર્સ કેટલાય દેશોમાં છવાયેલી છે. મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ મંત્ર પર આગળ વધી રહેલું ભારત પોતાના સામર્થ્યને વધારી રહ્યું છે. હવે ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનું પણ મોટું નિર્માતા બનશે, અને તેની શરુઆત આજથી થઈ રહી છે.

દુનિયાના મોટા પેસેન્જર પ્લેન્સ પણ ભારતમાં બનશે તે દિવસો પણ હવે દૂર નથી. વડોદરામાં જે ફેસિલિટીનો શિલાન્યાસ થયો છે તે દેશના ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં ધરમૂળથી પરિવર્તન લાવશે, પહેલીવાર ભારતમાં એરોસ્પેસ ટેક્નોલોજીમાં આટલું મોટું રોકાણ થઈ રહ્યું છે.

વડોદરામાં બનનારા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય સેનાને તાકાત આપશે જ, સાથે જ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે એક નવી ઈકોસિસ્ટમનો પણ વિકાસ થશે તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે, શિક્ષણ અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત વડોદરા હવે એવિએશન સેક્ટરના હબ તરીકે પણ દુનિયાભરમાં જાણીતું બનશે.

આમ તો ભારત ઘણા દેશોમાં વિમાનના નાના-મોટા પાર્ટ્‌સની નિકાસ કરે છે, પરંતુ દેશમાં પહેલીવાર મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનવાનું છે, જેના માટે ટાટા ગ્રુપ અને એરબસ ડિફેન્સ કંપની શુભેચ્છા આપું છું. આ પ્રોજેક્ટ સાથે ભારતની ૧૦૦થી વધુ સ્જીસ્ઈ જાેડાશે, અને બીજા દેશોના એક્સપોર્ટ ઓર્ડર પણ લેવામાં આવશે.

આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું એવિએશન સેક્ટર છે, અને આગામી ૪-૫ વર્ષમાં કરોડો નવા મુસાફરો હવાઈ સફર કરશે. આવનારા ૧૦-૧૫ વર્ષમાં ભારતને ૨,૦૦૦થી વધુ પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની જરુર પડશે. જેની આપૂર્તિ કરવા માટે પ્લાનિંગ શરુ થઈ ચૂક્યું છે,

અને આજનું આ આયોજન તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, તેમ પીએમે ઉમેર્યું હતું. આજે ભારત દુનિયા માટે સોનેરી તક લઈને આવ્યું છે. કોરોના અને યુદ્ધની સ્થિતિ ઉપરાંત સપ્લાય ચેઈનમાં રુકાવટ ઉભી થવા છતાંય ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ગ્રોથ મૉમેન્ટમ યથાવત છે. આજે ભારતમાં ઓપરેટિંગ કન્ડિશન સતત સુધરી રહી છે, અને દેશ લૉ કૉસ્ટ મેન્યુફેક્ચરિંગ સાથે હાઈ આઉટપુટનો અવસર આપી રહ્યું છે. દેશમાં સ્કિલ્ડ મેન પાવરની મોટી ફોર્સ છે, તેમ પીએમે જણાવ્યું હતું.

અગાઉની સરકારોને નિશાને લેતા પીએમે કહ્યું હતું કે, દેશમાં લાંબા સમયથી સરકાર એવી માનસિકતા સાથે ચાલી કે બધું સરકાર જ જાણે છે, અને બધું સરકારે જ કરવું જાેઈએ. આ માઈન્ડસેટને કારણે દેશનું ટેલેન્ટ દબાઈ ગયું અને ખાનગી ક્ષેત્ર વિકસી ના શક્યું, પરંતુ હવે દેશમાં પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરને સમાન ભાવનાથી જાેવાઈ રહ્યું છે.

પહેલાની સરકારોની માનસિકતા એવી પણ હતી કે સમસ્યાઓને ટાળવામાં આવતી હતી. સબસિડી પર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જીવીત રાખતું હતું, જેનાથી આ સેક્ટરનું જ નુક્સાન થયું. જેના કારણે ના ઠોસ નીતિ બની કે ના પાયાની જરુરિયાતો ઉભી કરવામાં આવી.

આજનું ભારત એક નવા માઈન્ડસેટ અને વર્ક કલ્ચર સાથે કામ કરી રહ્યું છે. કામચલાઉ ર્નિણયોને બાજુ પર મુકી વિકાસ અને રોકાણ માટે અનેક પ્રકારના ઈન્સેન્ટિવ સરકાર લઈને આવી છે. ઁન્ૈંના અમલ સાથે હવે પરિવર્તન પણ દેખાવા લાગ્યું છે.
લોજિસ્ટિક વ્યવસ્થામાં પણ સુધારો લવાઈ રહ્યો છે.

પહેલા એવી માનસિકતા એવી પણ હતી કે ભારત મેન્યુફેક્ચરિંગમાં સારું પ્રદર્શન નહીં કરી શકે, જેથી તેને સર્વિસ સેક્ટર પર જ ધ્યાન આપવું જાેઈએ, પરંતુ આજે દેશ બંને ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે, તેમ પીએમે કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.