Western Times News

Gujarati News

અડવાણીના ઘરે જઈ જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એલ કે અડવાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે મુલાકાત લીધી હતી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “અડવાણીજીના નિવાસસ્થાને ગયા અને તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે.

તેમની દ્રષ્ટિ અને બુદ્ધિમત્તા માટે સમગ્ર ભારતમાં તેમનું સન્માન કરવામાં આવે છે. બીજેપીના નિર્માણ અને મજબૂતીકરણમાં તેમની ભૂમિકા અપ્રતિમ છે. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું..”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.