Western Times News

Gujarati News

ખાતરનું સંકટ વિશ્વમાં અનાજ ઉત્પાદનને ગંભીર અસર કરશે

પ્રતિકાત્મક

ઓછા પાકને કારણે વિશ્વમાં પહેલેથી જ ઉદભવેલી ખાદ્ય કટોકટી હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે

નવી દિલ્હી, એશિયા અને આફ્રિકાના મોટા ભાગમાં ઓછા ખાદ્ય ઉત્પાદનનો ભય વધુ ઘેરો બન્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ ખાતરની ઝડપથી વધી રહેલી કિંમતો છે, જેના કારણે ખેડૂતો માટે તે મેળવવાનું મુશ્કેલ બન્યું છે.

નિષ્ણાંતોએ અભિપ્રાય આપ્યો છે કે ઓછા પાકને કારણે વિશ્વમાં પહેલેથી જ ઉદભવેલી ખાદ્ય કટોકટી વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. રશિયાએ યુક્રેનમાં વિશેષ સૈન્ય કાર્યવાહી શરૂ કર્યા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર ખૂબ જ આકરા પ્રતિબંધો લગાવ્યા હતા. ખાતરની કિંમત તેનું પરિણામ છે.

રશિયા અને બેલારુસ પોટેશિયમ ક્લોરાઇડના મુખ્ય નિકાસકારો છે, જેનો ઉપયોગ ખાતરના ઉત્પાદનમાં થાય છે. આ ઉપરાંત, રશિયા કુદરતી ગેસનો એક મોટો સપ્લાયર પણ છે, જે યુરોપમાં મોટાભાગની ખાતર ફેક્ટરીઓ ચલાવે છે. કુદરતી ગેસના ફુગાવાના કારણે ખાતરના ઉત્પાદન અને તેની કિંમત પર અસર પડી છે. બેલારુસ રશિયાનો ખાસ સાથી છે. તેથી જ પશ્ચિમી દેશોએ તેના પર પણ નિયંત્રણો લાદ્યા છે.

નાઈટ્રોજન, ફોસ્ફોરિક એસિડ અને પોટેશિયમ ક્લોરાઈડનો ખાસ ઉપયોગ બિન-કાર્બનિક ખાતરોના ઉત્પાદનમાં થાય છે. રશિયા અને બેલારુસ વિશ્વભરમાં વપરાતા પોટેશિયમ ક્લોરાઇડના ૪૦ ટકા સપ્લાય કરે છે. વિશ્વ બેંકે ગયા મહિને એક રિપોર્ટમાં કહ્યું હતું કે આ બંને દેશો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ વર્ષે ખાતરોમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની કિંમતોમાં ૬૦ થી ૭૦ ટકાનો વધારો થયો છે.

એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વ બજારમાં સપ્લાય ઘટવાથી સમૃદ્ધ દેશોએ ખાતર અને તેમાં વપરાતા કાચા માલનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. ગયા સપ્ટેમ્બરમાં, યુએસએ તેના સ્થાનિક ખાતર બજાર માટે ૫૦૦ મિલિયન ડોલરની સબસિડીની જાહેરાત કરી હતી.

આ પહેલા અમેરિકાએ માર્ચમાં ૨૫૦ મિલિયન ડોલરની સબસિડીની જાહેરાત કરી હતી. અમેરિકાના જાે બાઇડને પ્રશાસને કહ્યું છે કે તે દેશમાં બિન-ઓર્ગેનિક ખાતરોનો પુરવઠો જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. બીજી તરફ રશિયા તરફથી પુરવઠો બંધ કર્યા બાદ હવે જાપાને મોરોક્કો અને કેનેડામાંથી ખાતરમાં વપરાતા કાચા માલની આયાત કરવાનું શરૂ કર્યું છે,

પરંતુ ઘણા વિકાસશીલ દેશો આવા પગલા ભરવાની સ્થિતિમાં નથી. તે દેશોમાં ખાતરની તીવ્ર અછતના સમાચાર છે. ઇન્ટરનેશનલ ફર્ટિલાઇઝેશન એસોસિએશનની આગાહી છે કે આ વર્ષે વિશ્વભરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ સાત ટકા ઘટશે.

તેમનો મહત્તમ ઉપયોગ એશિયા અને આફ્રિકામાં ઘટશે. જેના કારણે પાકના ઉત્પાદન પર અસર થશે. એસોસિએશનની આગાહી છે કે આ વર્ષે વિશ્વની મકાઈની ઉપજમાં ૧.૪ ટકા, ચોખાની ઉપજમાં ૧.૫ ટકા અને ઘઉંની ઉપજમાં ૩.૧ ટકાનો ઘટાડો થશે.

યુનાઈટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ ફોર એશિયા એન્ડ ધ પેસિફિકના ડાયરેક્ટર જાેન અવલિફે કહ્યું છે કે ઘટતી ઉપજને કારણે ખાદ્યપદાર્થોની અછત ૨૦૨૩ સુધી રહેશે. બજારના નિષ્ણાતોએ કહ્યું છે કે નવી પરિસ્થિતિમાં અમીર અને ગરીબ દેશોના અનાજ ઉત્પાદન વચ્ચેનું અંતર વધુ પહોળું થશે. તેનું મુખ્ય કારણ ત્યાં અલગ-અલગ માત્રામાં ખાતરોની ઉપલબ્ધતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.