ખ્રિસ્તી સમુદાયના લોકોની ભાઈ-બહેનના લગ્ન કરાવવાની પરંપરાઃ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ
કોચી, કેરળમાં એક ખ્રિસ્તી સમુદાયની પરંપરા પર ત્યાંની કાટ્ટાયમ કોર્ટ પ્રતીબંધ મુકી દીધો છે. આ સમુદાયમાં ભાઈ બહેનના લગ્ન કરાવવાની પરંપરા હતી કોર્ટે જણાવ્યું કે, આ કોઈ ધામિર્ક મામલો નનથી તેથી આ પરંપરા બંધ કરો. આ મામલો ક્રોસ કજીન મેરેજનો એટલે કે પિતરાઈ કે દુરના સંબંધીના ભાઈ-બહેને સાથે જાેડાયેલા નથી.
પરંતુ સગા ભાઈ બહેન વચ્ચે લગ્ન કરાવવાનો પરંપરાનો છે. મર્યાદીત વસતી ધરાવતો આ સમુદાય આ પરંપરા અંગે જુદા જુદા કારણો આપે છે. ભાઈ-બહેનના લગ્ન કરાવની પરંપરા પાછળનો તમેના કારણો આશ્ચર્યો પમાડે તેવા છે.વાસ્તવમાં એક કેરળમાં રહેતો એક એવી ખ્રીસ્તી સમુદાય છે.
જે પોતાને જાતીગત ખુબ જ શુદ્ધ માને છે. આ સમુદાયમાં તેમની પવીત્રતા જાળવવા માટે સગાભાઈએ બહેનના એક બીજા સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. કેરળમાં કનન્ય કેથોલીક સમુદાયના લોકો વસે છે. આ સમુદાયના લોકો પોતાને તે ૭ર યહુદી ખ્રીસ્તી પરીવારાન વંશ માને છે.
જેઓ ઈ.સ.ે ૩૪પમાં થોમસ ઓફ કિનાઈ વેપારી સાથે મેસોપોમીયાથી અહી આવ્યા હતા. મીડીયા અહેવાલ મુજબ કિનાઈ નામથી કનન્યા સમુદયા નામ થઈ ગયું. કેરળના કોટ્ટારમન્ય તેની આઅસપાના જીલ્લમાં આ સમુદાયના લગભગ ૧.૬૭ લાખ લોકો વસે છે. આમા ર૧૮ પાદરીઓ અનેન નન પણ સમાવેશ થાય છે.
આ સમુદાયના લોકો સામાન્ય રીતે તેમની જ્ઞાતિની શુદ્ધતા જાળવાવ માટે સમાજની બહાર લગ્ન કરતા નથી. જાે કોઈ વ્યકિત સમાજની બહાર લગ્ન કરે તો તેને સમાજમાંથી હાંકી કઢાય છે. એટલું જ નહી તેવી વ્યકિત પર ચર્ચા અને કબ્રસ્તાનમાં જવા પર પણ પ્રતીબંધ લગાવી દેવામાં છે. જે વ્યિીકત સમાજની બહારહ લગ્ન કરે છે.
તે આ સમાજના અન્ય લગ્નો અને કાર્યક્રમોમાં હાજરી આપી શકતી નથી. સમાજમાંથી હાંકી કઢાયા બાદ સમાજમાં પરત ફરવાનો પણ નિયમ છે. આ સમુદાયમાં છોકરો બહારના સમાજની છોકરી સાથે લગ્ન કરે છે. અને જાે તે છોકરી મૃત્યુ પામે તો તે વ્યકિતને સમાજમાં પાછા ફરવાની પણ જાેગવાઈ છે.
પરંતુ આ માટે કેટલીક શરતો નકકી કરવામાં આવે છે. શરત એ છેકે છોકરાએ તેના સમુદાયની છોકરી સાથે ફરીથી લગ્ન કરવા પડે. બીજી શરત એ છે કે જાે પ્રથમ પત્ની બહારની છોકરી એ બાળકને જન્મ આપ્યો હોય તો તેને સમુદાયના લાવી શકાય નહી. જાે કે મહીલાઓ માટે આવી કોઈ જાેગવાઈ નથી. કેટલીકવાર એક જ પરીવારમાં લોકો જુદા જુદા સંપ્રદાયોને અનુસરે છે.