Western Times News

Gujarati News

HIV પોઝિટિવ હોવાનું કહી છૂટાછેડા માગ્યા: જુઠ્ઠાણુ પકડાયું, હાઈકોર્ટે અરજી ફગાવી

મુંબઇ, બોમ્બે હાઈકોર્ટે એક વ્યક્તિની અરજી ફગાવી દીધી છે જે તેની પત્નીથી છૂટાછેડા માંગી રહ્યો હતો કારણ કે તે એચઆઇવી પોઝીટીવ છે. પુણે ફેમિલી કોર્ટે મેડિકલ રિપોર્ટ અને ડોક્ટરની તપાસમાં તે ખોટા હોવાનું માલુમ પડતાં વ્યક્તિની અપીલને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે પણ આવું જ કર્યું.

આ કપલના લગ્ન ૧૬ માર્ચ ૨૦૦૩ના રોજ થયા હતા. પતિએ દાવો કર્યો હતો કે લગ્ન પછી તેની પત્ની ટીબીથી પીડિત હતી, જેના માટે તેણે તેની સારવાર કરાવી હતી.

પતિએ વધુમાં દાવો કર્યો હતો કે તેની પત્ની શંકાશીલ સ્વભાવની, ગુસ્સાવાળી અને જીદ્દી છે અને તેના પરિવારના સભ્યો સાથે યોગ્ય વર્તન કરતી નથી. પતિએ દાવો કર્યો હતો કે, તેની અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેના કારણે તે માનસિક રીતે પરેશાન થઇ ગયો છે.

પુરુષના કહેવા પ્રમાણે, ડિસેમ્બર ૨૦૦૪માં પત્નીને ‘હરપિજ઼’ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનો એચઆઇવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. આ પછી, ફેબ્રુઆરી ૨૦૦૫માં, પત્ની કથિત રીતે ઘર છોડી ગઈ. વ્યક્તિએ દાવો કર્યો કે જ્યારે પત્ની સ્વસ્થ થઈ ગઈ, ત્યારે તે તેને પોતાના ઘરે લઇ આવ્યો.

જાે કે, તે તેની પત્નીના પરત આવવાથી માનસિક રીતે પરેશાન હતો અને તેથી તેણે તેની પત્નીને તેના માતા-પિતાના ઘરે પરત ફરવા જણાવ્યું હતું. બે મહિના પછી, જ્યારે તે તેની પત્નીને મળવા ગયો ત્યારે તેને ખબર પડી કે, તેણીની તબિયત સારી નથી અને તેથી તે તેને તેના સાસરે લાવી શક્યો નહીં.

વ્યક્તિએ દાવો કર્યો હતો કે એક ડૉક્ટરે તેને કહ્યું હતું કે તેની પત્ની હજુ પણ એચઆઇવીથી પીડિત છે. આ કારણે તેણે લગ્નનો અંત લાવવાનો ર્નિણય કર્યો.

જાે કે, પત્નીએ આ પગલાને પડકાર્યો હતો અને તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું કે, તેનો એચઆઇવી રિપોર્ટ ‘નોટ ડિટેક્ટેડ’ના પરિણામ સાથે પાછો આવ્યો હતો, જેનો અર્થ છે કે તે એચઆઇવી નેગેટિવ હતી.

આમ છતાં, તેનો પતિ બધાને કહેતો રહ્યો કે, તે એચઆઇવી સંક્રમિત છે અને આ અફવાઓને કારણે તેને ભારે માનસિક વેદના થઈ અને તેનું સામાજિક જીવન બરબાદ થઈ ગયું. ત્યારબાદ મહિલાએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ અરજી દાખલ કરી, તેના માટે તેણે ૫ લાખ રૂપિયા અને પોતાને રહેવા માટે પુણેમાં ૧-મ્ૐદ્ભ ફ્લેટની માંગણી કરી. યુવાને તેનો વિરોધ કર્યો છે.

જસ્ટિસ નીતિન જામદાર અને શર્મિલા દેશમુખની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે પતિ દ્વારા તેની અથવા તેના પરિવાર સાથેની તેની સારવાર અંગેના તમામ આરોપો વચ્ચે, તે કોઈ ચોક્કસ ઘટનાની વિગતો આપવામાં નિષ્ફળ રહ્યો છે. બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, ‘તે ચોક્કસ છે કે, પરેશાની એવી કુદરતી હોવી જાેઈએ કે, જે પુરુષના મનમાં યોગ્ય આશંકા પેદા થાય કે તેણે તેની પત્ની સાથે રહેવામાં નુકસાન થશે’, જે આ કેસમાં નથી.

એચઆઇવી રિપોર્ટના મુદ્દા પર, બેન્ચે મેડિકલ રિપોર્ટ અને પૂણે ફેમિલી કોર્ટ સમક્ષ ડૉક્ટરના નિવેદનની તપાસ કરી કે મહિલા વાસ્તવમાં આ રોગથી પીડિત નથી. બેન્ચે કહ્યું કે વ્યક્તિને ‘તેની ભૂલનો ફાયદો ઉઠાવવાની મંજૂરી આપી શકાય નહીં’ અને તેની અરજી ફગાવી દીધી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.