Western Times News

Gujarati News

બનાસકાંઠામાં ૨૦ સેકન્ડ સુધી ભૂકંપની ધ્રુજારી થતા દોડધામ મચી

બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બનાસકાંઠામાં ૨૦ સેકન્ડ સુધી ભૂકંપની ધ્રુજારી થતા દોડધામ મચી જવા પામી હતી. પાલનપુરમાં ૪.૨૭ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
– ૦થી ૨ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્‌મોગ્રાફથી જ જાણી શકાય છે.
– ૨થી ૨.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
– ૩થી ૩.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.

– ૪થી ૪.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
– ૫થી ૫.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
– ૬થી ૬.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.

-૭થી ૭.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ ૨૦૧૫માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.

– ૮થી ૮.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે. – ૯ અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જાેવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.