Western Times News

Gujarati News

સર્વનમન વિદ્યાલયમાં સ્ટાફને બદલવાના અહેવાલના પગલે વાલીઓનો હોબાળો

હોબાળા ના પગલે પોલીસ દોડી આવી : ટ્રસ્ટી મંડળની ખાત્રી બાદ મામલો થાળે પડ્યો

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ સોખડા હરિધામ સંચાલિત સર્વનમન વિદ્યાલય ખાતે સંચાલિકા બહેનોને તેમજ સ્ટાફને બદલવાના અહેવાલના પગલે દોડી આવેલા વાલીઓએ હોબાળો મચાવી તેમ નહિ કરવા રજૂઆત કરી હતી.તો ટ્રસ્ટી મંડળ દ્વારા આવો કોઈપણ ર્નિણય કરાયો ન હોવાનું જણાવી કોઈનું હિત ન જાેખમાય તે જાેવાની પણ ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.

હરિધામ સોખડા સ્વામિનારાયણ સંસ્થામા ચાલી રહેલા વિવાદના પગલે છેલ્લા ૧૭ વર્ષથી ઝાડેશ્વર ખાતે ચાલતી સર્વનમન વિદ્યાલય સ્કૂલના સંચાલિકા બહેનો અને સ્ટાફને બદલવામા આવનાર હોવાના અહેવાલ વહેતાં થતાં વાલીઓએ એકત્રિત થઈ હંગામો મચાવ્યો હતો અને દીકરીની સુરક્ષા માટે હાલમાં કોઈપણ ર્નિણય નહીં કરવા ઉગ્ર રજૂઆત કરી હતી અને જૂના સ્ટાફ ને કાઢવામાં આવશે તો તાળા બંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.તો વાલીના હોબારાને લઈને પોલીસ પણ દોડી આવી મામલો થાળે પાડવાની કવાયત હાથધરી હતી.

બીજી બાજુ ટ્રસ્ટી મંડળ દ્વારા હાલમાં આવો કોઈ પણ ર્નિણય કરવામાં આવ્યો ન હોવાનું જણાવી દિકરીઓની સુરક્ષા અને હિતને ધ્યાને લઈ કોઈપણ ર્નિણય કરાશે તેમ જણાવતા મામલો થાળે પડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.