Western Times News

Gujarati News

તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપથી અત્યાર સુધીમાં ૮૦૦૦ના મોત

નૂરદાગી, તુર્કી માટે અઠવાડિયાનો પહેલો દિવસ આફત લઈને આવ્યો. વહેલી સવારે ૪.૧૭ મિનિટ પર ભૂકંપના પહેલા ઝટકાએ અનેક જિંદગીઓ બુઝાવી નાખી. ત્યારબાદ આવી રહેલા સતત ભૂકંપના ભીષણ આંચકા અને આફ્ટરશોકે અનેક મોટા શહેરોને કાટમાળમાં ફેરવી દીધા. આ બધા વચ્ચે એક્સપર્ટ્‌સે જણાવ્યું કે ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેનાથી તુર્કી ૧૦ ફૂટ સુધી ખસી ગયું છે.

ઈટલીના ભૂકંપ વૈજ્ઞાનિક ડો. કાર્લો ડોગ્લિયોનીએ જણાવ્યું કે સીરિયાની સરખામણીમાં તુર્કીની ટેક્ટોનિક પ્લેટ્‌સ પાંચથી છ મીટર સુધી સરકી હોઈ શકે છે.

હકીકતમાં તુર્કી અનેક પ્રમુખ ફોલ્ટલાઈન પર સ્થિત છે જે એનાટોલિયન પ્લેટ, અરેબિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ સાથે જાેડાયેલું છે. જેના કારણે અહીં ભૂકંપ આવવાનું જાેખમ વધુ રહે છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એનાટોલિયન પ્લેટ અને અરેબિયન પ્લેટની વચ્ચે ૨૨૫ કિલોમીટરની ફોલ્ટલાઈન તૂટી ગઈ છે.

તેમણે કહ્યું કે જાે કે હજુ સુધી પ્રાથમિક ડેટાના આધાર પણ આવું કહેવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક દિવસોમાં સેટેલાઈટ્‌સથી વધુ સટીક જાણકારી મળી શકશે.

ડરહમ યુનિવર્સિટીના સ્ટ્રક્ચરલ જિયોલોજીના પ્રોફેસર ડો.બોબ હોલ્ડવર્થે કહ્યું કે ભૂકંપની તીવ્રતા જાેતા ટેક્ટોનિક પ્લેટનું શિફ્ટ થવું તર્કસંગત છે. હકીકતમાં ભૂકંપની તીવ્રતા અને ટેક્ટોનિક પ્લેટ્‌સના સરકવા વચ્ચે સીધે સીધો સંબંધ છે. તેમાં કઈ પણ એવું નથી કે અટપટું લાગે.

અત્રે જણાવવાનું કે સોમવારે સવારે ચાર વાગ્યા બાદથી અત્યાર સુધીમાં તુર્કીમાં ૫૫૦ વાર ધરતી ધ્રુજી છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં ભૂકંપથી ૭૭૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અર્દોગને દેશના દસ પ્રાંતોમાં ત્રણ મહિના માટે કટોકટી લાગૂ કરી છે. સ્કૂલોને ૧૩ ફેબ્રુઆરી સુધી બંધ કરાઈ છે. ભારત સહિત ૭૦ દેશોએ તુર્કી માટે મદદનો હાથ આગળ વધાર્યો છે.

તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપથી અત્યાર સુધીમાં ૮૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. તુર્કીમાં ૫૮૯૪ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ૩૪૮૧૦ લોકો ઘાયલ છે. જ્યારે વીદ્રોહીઓના નિયંત્રણવાળા સીરિયામાં ૧૨૨૦ લોકોના જીવ ગયા છે.

જ્યારે સીરિયાની સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં ૮૧૨ લોકોના મોત થયા છે. તુર્કીમાં ભૂકંપથી લગભગ ૬૦૦૦ ઈમારતો તબાહ થઈ છે. જ્યારે સીરિયામાં ૪૦૦ બિલ્ડિંગ સીરિયામાં જમીનદોસ્ત થઈ છે. જ્યારે ૧૨૨૦થી વધુ ઈમારતોને નુકસાન થયું છે.

ભૂકંપમાં તુર્કીની ઐતિહાસિક મસ્જિદ પણ તબાહ થઈ ગઈ. તુર્કીના માલાટયા શહેરમાં આવેલી આ ઐતિહાસિક યેની કૈમી મસ્જિદ ખંડરમાં ફેરવાઈ. આ મસ્જિદ ૧૦૦ વર્ષ જૂની હતી પરંતુ ભૂકંપથી જમીનદોસ્ત થઈ ગઈ. ૧૦૦ વર્ષ જૂની આ મસ્જિદ હવે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે.

WHOએ તુર્કી અને સીરિયામાં મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરી છે. WHO એ તુર્કી અને સીરિયામાં ૨૦ હજારથી વધુ લોકોના માર્યા ગયા હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. એટલું જ નહીં સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે બંને દેશોમાં ૨.૩ કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હોઈ શકે છે.

તુર્કીનો મોટાભાગનો હિસ્સો એનાટોલિયન પ્લેટ પર છે. આ પ્લેટની પૂર્વમાં ઈસ્ટ ઈનાટોલિયન ફોલ્ટ છે. ડાબી તરફ ટ્રાન્સફોર્મ ફોલ્ટ છે. જે અરેબિયન પ્લેટ સાથે જાેડાય છે. દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમમાં આફ્રીકન પ્લેટ છે જ્યારે ઉત્તર દિશા તરફ યુરેશિયન પ્લેટ છે. જે ઉત્તર એનાટોલિયન ફોલ્ટ ઝોન સાથે જાેડાયેલું છે.

તુર્કીની નીચે રહેલી એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિપરિત દિશામાં ઘૂમી રહી છે. એટલે કે એન્ટી ક્લોકવાઈઝ. આ સાથે જ તેને અરેબિયન પ્લેટ ધક્કો મારી રહી છે. હવે આ ઘૂમતી એનાટોલિયન પ્લેટને જ્યારે જ્યારે અરેબિયન પ્લેટ ધક્કો મારે છે ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. ત્યારે ભૂકંપના જાેરદાર આંચકા આવે છે.

બચાવકર્મીઓ માટે પડકાર બની છે હાડ થીજવતી ઠંડી
દુનિયાભરના દેશો અત્યારે તુર્કી અને સીરિયામાં મદદ મોકલી રહ્યા છે. અહીં અત્યારે સૌથી મહત્વની કામગીરી બચાવની છે. અતિશય તીવ્રતા વાળા આ ધરતીકંપમાં અનેક ઈમારતો ધરાશયી થઈ ગઈ અને તેમાં ફલાયેલા લોકોને બહાર નીકાળવાની પૂરજાેશમાં ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાડ થીજવતી ઠંડીને કારણે આ કામ પડકારજનક બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતકોની સંખ્યા અત્યાર સુધી ૬૨૦૦થી વધારે થઈ ગઈ છે અને તેમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ધસી પડેલી ઈમારતોમાં એકબીજા સાથે વીંટળાયેલા મેટલના પાઈપ તેમજ કોન્ક્રીટને કારણે બચાવ કર્મચારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ સિવાય ઠંડી એટલી વધારે છે કે એક પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે, કાટમાળમાં ફસાયેલા લોકોને વહેલી તકે નીકાળવામાં નહીં આવે તો ઠંડીને કારણે પણ તેઓ જીવ ગુમાવી શકે છે.

માત્ર તુર્કીની જ વાત કરીએ તો અત્યાર સુધી અહીં કાટમાળમાંથી ૮૦૦૦થી વધારે લોકોને નીકાળવામાં આવ્યા છે. સરકારના શેલ્ટર હોમ અને હોટલોમાં લગભગ ૩,૮૦,૦૦૦ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.

તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એર્દોઆન જણાવે છે કે, દેશની ૮૫ મિલિયન વસતીમાંથી ૧૩ મિલિયન લોકો પ્રભાવિત થયા છે. આ સિવાય તેમણે દેશના ૧૦ રાજ્યોમાં કટોકટીની જાહેરાત કરી છે. ઉલ્લેખીય છે કે ભૂકંપને કારણે ફેલાયેલી તબાહીનું પ્રમાણ એટલુ બધું છે કે તમામ સ્થળોએ વહેલી તકે મદદ પહોંચાડવી અત્યંત પડકારજનક કામ બની ગયું છે. સુરક્ષાકર્મીઓ તેમજ બચાવકર્મીઓ માટે દરેક સ્થળે મદદ માટે પહોંચવું મુશ્કેલ છે. રસ્તાઓ પણ જર્જરિત થઈ ગયા હોવાને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે.

WHOના અધ્યક્ષ આ બાબતે જણવા છે કે, આ સમય સાથેની એક હરિફાઈ છે. પ્રત્યેક મિનિટ, પ્રત્યેક કલાક જે પસાર થઈ જાય છે, લોકોને જીવતા બહાર નીકાળવાની તક ઘટી રહી છે.

આ સિવાય વરસાદ અને બરફ પણ પડી રહ્યો છે, જેના કારણે જે લોકો ફસાયેલા છે તે તેમજ અન્ય સ્થળોએ આશ્રય લેનારા લોકો માટે મુશ્કેલી વધી રહી છે. ઘણાં લોકોને મસ્જિદોમાં, શાળાઓમાં તેમજ બસ સ્ટેન્ડમાં આશ્રય આપવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.