Western Times News

Gujarati News

ITI મણિનગર ખાતે ૧૩ ફેબ્રુઆરીના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

અમદાવાદ જિલ્લામાં આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, મણિનગર ખાતે તા. ૧૩/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦ કલાકે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું છે. જેમાં વટવા, નારોલ, લાંભા વિસ્તારની ૨૦થી વધુ ખાનગી કંપનીઓ ઉમેદવારોની પસંદગી કરવા ઉપસ્થિત રહેશે.

આ રોજગાર મેળામાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા ઉમેદવારો પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો સાથે ઔધોગિક તાલીમ સંસ્થા, મણિનગર, આર.ટી.ઓ. ( ઇસ્ટ ) ઓફિસની પાસે, મહાદેવનગર ટેકરા, વસ્ત્રાલ રોડ, અમદાવાદ ખાતે હાજર રહેવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મણિનગર, અમદાવાદના આચાર્યની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.