Western Times News

Gujarati News

રાજસ્થાનના નાગૌરમાં બસ પલ્ટી ખાતા ૧૧ લોકોનાં મોત

જયપુર, રાજસ્થાનના નાગૌરમાં શનિવાર વહેલી પરોઢે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી જાણકારી મુજબ, સામે સાંઢ આવી જતાં ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું. આ કારણે મિની બસ પલટી ગઈ અને તેમાં સવાર ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૨ અન્ય ઘાયલ છે. ઘાયલો પૈકી ૬ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને હાસ્પિટલ પ્રશાસને જયપુર રિફર કરી દીધા છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નાગૌર જિલ્લાના કુચામન સિટીમાં સવારે ત્રણ વાગ્યાની આસપાસ થઈ. બસ દુર્ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હાસ્પિટલ ખસેડવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, રાતના સમયે રસ્તો ખાલી હોવાના કારણે બસ ખૂબ જ સ્પીડમાં હતી. અચાનક રસ્તા વચ્ચે સાંઢ આવી જવાના કારણે ડ્રાઇવરે બસ પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું જેના કારણે આ દુર્ઘટના બની.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.