Western Times News

Gujarati News

હાસ્યકાર-ચિંતક જગદીશ ત્રિવેદી સહીત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મુખ્યમંત્રીના હસ્તે ‘પ્રાઈડ ઓફ ઈન્ડીયા’ એવોર્ડથી સન્માનિત થયા

(પ્રતિનિધિ)હળવદ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે હાસ્યકલાકાર,લેખક અને સમાજસેવક એવા જગદીશ ત્રિેવેદીને “પ્રાઈડ ઓફ ઈન્ડીયા” એવોર્ડ એનાયત થયો છે.ફીલીગ્ઝ મલ્ટીમિડિયા લિમિટેડ તરફથી નારાયણી હાઈટસ ખાતે યોજાયેલા આ જાજરમાન એવોર્ડ સમારંભમા મંચસ્થ પૂર્વ કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગૌ સેવા આયોગ ચેરમેન ડો.વલ્લભભાઈ કથિરીયા,પૂર્વ મંત્રી અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, નિવૃત ન્યાયધિશ પ્રદીપભાઈ ભટ્ટ, જાણીતા ઉદ્યોગપતિ-લેખક રાહુલ શુકલા,ફીલિગ્ઝ મલ્ટીમિડિયામા ચેરમેન અતુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જાણીતા પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ,પ્રથમ પંકિતના કવિ-ઉદઘોષક તુષાર શુકલા, સેવાભાવી યુરોલોજીસ્ટ ડો. પ્રદીપ કણસાગરા,જાણીતા ફીલ્મ નિર્માતા- કલાકાર અભિલાષ ઘોડા, સુપ્રસિદ્ધ સર્જન ડો.સુધિર શાહ તેમજ ગુજરાતના ચેરિટી કમિશ્નર યશવંત શુક્લાને પણ આ સાથે પ્રાઈડ ઓફ ઈન્ડીયા એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા હતા.આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામા બિનનિવાસી ગુજરાતીઓ, કલાકારો, લેખકો, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.