Western Times News

Gujarati News

હળવદ મહર્ષિ ગુરુકુળના કેજીથી ધો.૨ સુધીના બાળકોનો “કિલકારી” નામક વાર્ષિકોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ) હળવદ, હળવદ સ્થિત મહર્ષિ ગુરુકુળ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુરુકુળના કેજીથી ધો.૨ સુધીના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકોનો ‘કિલકારી’ નામક વાર્ષિકોત્સવ વિશાળ સંખ્યા આમન્ત્રીતો અને વાલીગણની ઉપસ્થિતિમા યોજાયો હતો.

જેમા વિદ્યાર્થીઓ એ સુંદર કૃતિઓ રજુ કરી હતી. જયારે, વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતા એ પણ સુંદર નૃત્ય રજુ કરી અનેરો આનંદ-ઉન્માદ જગાવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા ગુરૂકુળના એમ.ડી રજનીભાઇ સંઘાણી, રાજુભાઈ ચણીયારા, અશોકભાઈ ગેહલોત સહીત સંસ્થાના તમામ સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનુ સુંદર સંચાલન વિભાબેન જાેશી એ કર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.