Western Times News

Gujarati News

વાઘવળનાં હનુમાન મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના અંતરિયાળ પ્રદેશ ધરમપુર તાલુકાના વાઘવળ ખાતે ઈસ્ટેટ આર. વેંકટરમન ફેમિલી ટ્રસ્ટ વડોદરા હનુમાન મંદિર ગ્રુપ વલસાડ માત્ર ભૂમિ સેવા કેન્દ્ર વલસાડ ના સહયોગથી બજરંગ બલી મિત્ર મંડળ વાઘવળ દ્વારા નિર્મિત હનુમાન મંદિર ખાતે ભગવાન હનુમાનજી ની મૂર્તિ નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગામી ૨/૪/૨૦૨૩ ના રવિવારે સવારે ૯ કલાકેથી આયોજન કરવામાં આવેલ છે. ૧/૪/૨૦૨૩ ના બપોરે ૪ કલાકેથી દત્ત મંદિર વાઘવળ થી હનુમાન મંદિર વાઘવળ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં મુખ્યઅતિથી તરીકે ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ વિજયકુમાર ગોયલ, સાઉથ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન ના ચેરમેન કૌશિક માકડિયા, આંતરાષ્ટીય વેશ્ય સંમેલનના જીલ્લા પ્રમુખ રાજુભાઈ મહેતા, ધર્મ જાગરણ સમન્વય વિભાગ ના જિલ્લા પ્રમુખ પરિમલ ગરાસીયા, નિવૃત્ત આચાર્ય બી. એન. જાેશી, વાપી ભાજપ ઉપપ્રમુખ તથા વાઇબ્રન્ટ શાકમાર્કેટ ના પ્રમુખ મુકેશ તિવારી સરદાર સોશિયલ ગ્રુપ વાપીના અગ્રણી સંજય કથીરિયા, વલસાડ વિભાગ વિહિપના સહમંત્રી નટુભાઈ પટેલ , પાટીદાર સમાજ સુરતના અગ્રણી રાજુભાઈ સાવલિયા ઉપસ્થિત રહેશે જ્યારે આશીર્વચન માટે વાપીના કપીલ સ્વામી, કથાકાર નરેશભાઈ રામાનંદી, વલસાડના શિવજી મહારાજ, કબીર બંદર વલસાડના હરિદાસજી મહારાજ તથા કોઠાયાદરી બેલીધામના રામજી મહારાજ પધારશે.

ગાયત્રી ચેતના કેન્દ્ર વલસાડના આચાર્યો દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચાર સાથે સમ્પન્ન કરાવવામાં આવનાર છે. ટ્રસ્ટ ના પ્રમુખ રજનીભાઇ વૈષ્ણવ, હનુમાન મંદિર ગૃપ વલસાડના વિષ્ણુભાઈ પાટીલ અને બજરંગ બલી મિત્ર મંડળ વાઘવળ ના સુનિલભાઈ જાદવ કાશીરામ સી. જાદવ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.