Western Times News

Gujarati News

શું અનુપમાને ડિવોર્સ આપશે અનુજ કપાડિયા ?

મુંબઈ, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો Anupamaમાં છેલ્લા કેટલાક દિવસથી જબરદસ્ત ટિ્‌વસ્ટ જાેવા મળી રહ્યો છે. લેટેસ્ટ ટ્રેક પ્રમાણે માયા તેની દીકરી છોટી અનુને સાથે લઈને ચાલી ગઈ છે, જેના કારણે અનુપમા અને અનુજ કપાડિયા આઘાતમાં છે.

અનુજને લાગે છે કે અનુપમા છોટી અનુને રોકી શકતી હતી પરંતુ તેણે તેમ કરવાનો એકવાર પણ પ્રયાસ ન કર્યો. પોતાની દીકરી દૂર જતી રહી તે માટે અનુજ અનુપમાને જવાબદાર માને છે. જ્યારે અનુપમા તેને દિલ હળવું કરવા માટે કહે છે ત્યારે તે તેના પર ગુસ્સે થઈ જાય છે અને વરસી પડે છે.

તે કહે છે કે આ ઘરમાં તેને ગૂંગળામણ થાય છે. જ્યારે અનુપમા પૂછે છે કે, ‘શું તેને આ સંબંધમાં પણ ગૂંગળામણ થાય છે?’ તો જવાબમાં અનુજ કહે છે કે તે તેની સાથે પણ રહેવા માગતો નથી કારણ કે તેમની વચ્ચે હવે પ્રેમ રહ્યો નથી. આ સાંભળીને અનુપમાને આઘાત લાગે છે અને જમીન પર બેસીને રડવા લાગે છે.

અનુજ ઘર છોડીને જવાની તૈયારી કરે છે ત્યારે પણ અનુપમા તેને રોકે છે અને કહે છે કે ‘જાે દૂર જ જવું હતું તો આટલા પાસે કેમ આવ્યા? મને આટલો પ્રેમ કેમ કર્યો? કેમ મારી રાહ જાેઈ? કેમ મારી સાથે લગ્ન કર્યા?’. અનુપમા અનુજને તેમણે સાથે પસાર કરેલી સુંદર ક્ષણોને પણ યાદ કરે છે.

પરંતુ તે સાંભળવા તૈયાર નથી અને ઈમોશનલ થઈ જાય છે. આાગમી એપિસોડમાં અનુપમા અને અનુજના ડિવોર્સ થશે તેમ લાગી રહ્યું છે. લેટેસ્ટ ખબર પ્રમાણે, અનુજ કપાડિયા અનુપમાથી નારાજ ચાલી રહ્યો છે ત્યારે વનરાજ આ તકનો લાભ ઉઠાવવાથી પાછળ નહીં હટે.

કાવ્યા ઘણા સમયથી તેના પર ગુસ્સે છે અને વાત સરખી કરી રહી નથી. ત્યારે વનરાજ અનુપમા પાસે જશે અને તેને સાંત્વના આપશે. તે ફરીથી તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ દર્શાવી શકે છે. અનુપમાના લેટેસ્ટ ટ્રેકથી દર્શકો નારાજ છે. અપકમિંગ એપિસોડના પ્રોમો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું ‘તારી પાસે હજારો કારણ હોઈ શકે છે. તે બધા સમજશે અને અન્ય કારણો શોધશે.

પરંતુ આ ઠીક નથી અનુજ કપાડિયા. તે આને હકદાર નથી. કોઈ નથી. જ્યાં સુધી પીડામાંથી બહાર ન આવે ત્યાં સુધી તેનાથી દૂર રહે પણ આમ ન કરીશ’. એક યૂઝરે લખ્યું ‘જ્યારે અનુપમા અનુજ સાથે વાત કરવા માટે આગળ-પાછળ દોડતી હતી ત્યારે તેને સ્પેસ ન આપવા માટે જવાબદાર ઠેરાવી હતી.

જ્યારે તેણે સ્પેસ આપી તો કહેવામાં આવ્યું કે તેને એકલો ઘરે છોડીને જતી રહી. વાહ રે દુનિયા. તે પંચિગ બેગ બની ગઈ છે’. અન્ય એકે લખ્યું ‘અનુજે તો માત્ર દીકરી જ ગુમાવી છે પરંતુ અનુપમાએ સમસ્ત ગુમાવી દીધું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.