Western Times News

Gujarati News

કાશ્મીર ખીણમાં ચેનાબ બ્રિજ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થશે

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કાશ્મીર ખીણમાં ચેનાબ બ્રિજની મુલાકાત લીધી-યુએસબીઆરએલ પ્રોજેક્ટની પ્રગતિ જોવા માટે પુલ અને ટનલનું ટ્રોલી નિરીક્ષણ કર્યું હતું.

∙ વર્ષ 2022-23માં રૂ.6000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, 2014 પહેલા આ ફાળવણી દર વર્ષે 800 કરોડ હતી.

∙ ઉધમપુર-શ્રીનગર-બારામુલા ટ્રેન સેવા સાથે જોડાયા બાદ વિશેષ રીતે બનેલી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે.- ∙ કાશ્મીર ખીણ ટૂંક સમયમાં ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડાઈ જશે

શ્રી અશ્વિની વૈષ્ણવ, રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સરકારના માનનીય મંત્રી. યુએસબીઆરએલ પ્રોજેક્ટની પ્રગતિ જોવા માટે આજે ભારતના કાશ્મીર ખીણના ચેનાબ બ્રિજ પર પહોંચ્યા હતા.

ઉત્તર રેલવેના જનરલ મેનેજર શ્રી આશુતોષ ગંગલ, એમ.ડી /કેઆરસીએલ , શ્રી સંજય ગુપ્તા, સીએઓ/સી,યુએસબીઆરએલ, શ્રી એસ.પી.S.માહી, ડિવિઝનલ રેલવે મેનેજર, ફિરોઝપુર, ડૉ. સીમા શર્મા, અને ઉત્તર રેલવે અને યુએસબીઆરએલ પ્રોજેક્ટના અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓએ માનનીય મંત્રીનું સ્વાગત કર્યું હતું.

 

યુએસબીઆરએલ પ્રોજેક્ટના અધિકારીઓએ રેલ્વે મંત્રીને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ચિનાબ અને પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી આપી હતી. માનનીય મંત્રીએ કામની પ્રગતિ જોવા માટે ચેનાબ બ્રિજ અને યુએસબીઆરએલ પ્રોજેક્ટની ટનલનું ટ્રોલી નિરીક્ષણ કર્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

માનનીય મંત્રીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ રેલવે સ્ટાફની મહેનત અને વિવિધ પડકારો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઉપરાંત ફરજ પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે બાકીની કામગીરી પૂર્ણ કરવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

માનનીય મંત્રીએ સમગ્ર ભારતના સર્વોચ્ચ રેલ્વે બ્રિજ પર સીમલેસ નેટવર્ક કનેક્ટિવિટી દર્શાવતા ઝોનલ હેડક્વાર્ટરમાં બેઠેલા મુખ્ય મેટ્રો સીટીના મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. જેઆઇઓ  તરફથી 300 એમબીપીએસ ઈન્ટરનેટ બેન્ડવિડ્થ, 100 એમબીપીએસ એરટેલ ઈન્ટરનેટ નેટવર્ક,

100 એમબીપીએસ બીએસએનએલ ઈન્ટરનેટ તેમજ સલાલથી ઓએફસી  કેબલ દ્વારા ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર વિડિયો અને ઑડિયો વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

જ્યારે દેશભરમાંથી ભેગાં થયેલા મીડિયાને સંબોધતાં, શ્રી વૈષ્ણવે નીચે મુજબ જાહેરાત કરી:

∙ યુએસબીઆરએલ પ્રોજેક્ટ જાન્યુઆરી/ફેબ્રુઆરી-2024 સુધીમાં પૂર્ણ થશે -∙ વર્ષ 2022-23માં રૂ.6000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, 2014 પહેલા આ ફાળવણી દર વર્ષે 800 કરોડ હતી.

∙ ઉધમપુર-શ્રીનગર-બારામુલા ટ્રેન સેવા સાથે જોડાયા બાદ વિશેષ રીતે બનેલી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે.

∙ જમ્મુ ખાતે એન્જિનિયરો માટે એક સ્પેશિયલ ટ્રેનિંગ એકેડમી રચવામાં આવશે. ∙ કાશ્મીર ખીણ ટૂંક સમયમાં ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે.

∙ દેશના વિકાસ પર લેસર શાર્પ ફોકસ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.