Western Times News

Gujarati News

નાંદોલમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ૩૦ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ભોજન કરાવાયું

ગાંધીનગર, આધશકિતની આરાધનાનો પવીત્ર પર્વ ચૈત્રી નવરાત્રીનો શુભ અવસર ચાલી રહયો છે. ત્યારે આવા ધામિર્ક દિવસોમાં ગાંધીનગર જીલ્લાનાં દહેગામ તાલુકાના નાંદોલ ગામના દવે પરીવાર તરફથી તાજેતરમાં અમદાવાદના બાપુનગર ખાતે આવેલ અંધ પરીવાર સેવા સંસ્થાની ૩૦ પ્રજ્ઞાચક્ષુ દિકરીઓને કુમકુમ તિલક કરી ભોજન કરાવ્યું હતુું.

આ પ્રસંગે દવે પરીવારના સર્વ કુટુંબીજનો જેમા જીગ્નેશભાઈ દવે મૌલીકીભાઈ, જાની પુનીતભાઈ આચાર્ય, પરાગભાઈ અને બેલાબેન દવે ધવલભાઈ અને અમીબેન દવે જીતેશભાઈ અને ખ્યાતિબેન દવે કિર્તીભાઈ અને બેલાબેન દવે તેમજ કુટુંબના વડીલોમાં જગદીશચંદ્ર શિવપ્રસાદ દવે, જયશ્રીબેન રાજેન્દ્રભાઈ દવે સહીત પરીવારના સૌ ઉપસ્થિત રહયયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.