Western Times News

Gujarati News

સૂર્યકુમારના ઝંઝાવાતમાં ઉડ્યું RCB, MI ત્રીજા સ્થાને

નવી દિલ્હી, સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ અને નેહલ વાઢેરા તથા ઈશાન કિશનની ઝંઝાવાતી બેટિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટે પરાજય આપ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩માં મંગળવારે રમાયેલો મુકાબલો હાઈસ્કોરિંગ રહ્યો હતો. IPL2023 RCB vs MI

મુંબઈએ ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની તોફાની અડધી સદીની મદદથી બેંગલોરે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૯૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જાેકે, સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગે આ સ્કોરને આસાન બનાવી દીધો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે ૧૬.૩ ઓવરમાં ચાર વિકેટે ૨૦૦ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈએ ૨૧ બોલ બાકી રાખતા આ મેચ જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવે ૩૫ બોલમાં ૮૩ રન ફટકાર્યા હતા. જ્યારે નેહલ વાઢેરા ૫૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ વિજય સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. તેણે ૧૧ મેચમાં છ વિજય સાથે ૧૨ પોઈન્ટ મેળવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે ૨૦૦ રનનો કપરો લક્ષ્યાંક આવ્યો હતો.

જાેકે, મુંબઈના બેટર્સે શરૂઆતથી જ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી. કેપ્ટન રોહિત શર્મા ફક્ત સાત રન નોંધાવીને આઉટ થયો હતો પરંતુ તે સિવાય ઓપનર ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને નેહલ વાઢેરાએ તાબડતોબ બેટિંગ કરી હતી. તેમાં પણ સૂર્યકુમાર યાદવે તેના આગવા અંદાજમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી અને ટીમને ધમાકેદાર વિજય અપાવ્યો હતો. ઈશાન કિશન ૨૧ બોલમાં ચાર ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૪૨ રન નોંધાવીને આઉટ થયો હતો.

ટીમનો સ્કોર ૫૨ રન હતો ત્યારે કિશન અને રોહિત શર્મા આઉટ થઈ ગયા હતા. જાેકે, સૂર્યકુમાર યાદવ અને નેહલ વાઢેરાએ તોફાની બેટિંગ કરી હતી અને ૧૪૦ રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી.

બંને બેટર્સે અડધી સદી ફટકારી હતી. જેમાં નેહલ વાઢેરા અણનમ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે ૩૫ બોલમાં ૮૩ રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને છ સિક્સર સામેલ હતી. જ્યારે નેહલ વાઢેરાએ ૩૪ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી અણનમ ૫૨ રનની ઈનિંગ્સ રમી હતી. બેંગલોર માટે વાનિન્દુ હસારંગા અને વિજયકુમાર વીશકે બે-બે વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

જાેકે, ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ટીમે સ્ટાર ઓપનર વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ટીમનો સ્કોર ૧૬ રન થયો હતો ત્યારે અનુજ રાવત આઉટ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.