Western Times News

Gujarati News

લેખક જયંતિ પરમાર લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન

શ્રી જયંતીભાઈ પરમારે  જીવન સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે :- ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

અમદાવાદના ટાગોર હોલ ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કવિ, લેખક સમાજસેવી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી જયંતિભાઈ પરમાર દ્વારા લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન  કરવામાં આવ્યું હતું.

આ અવસરે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, શ્રી જયંતીભાઈ પરમારે પોતાના જીવનમાં સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે. જયંતીભાઈએ હંમેશા લોકહિતના કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે.  લોકહિતના કાર્યોની ધારદાર રજૂઆત કરતા મેં તેઓને જોયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં કહ્યું કે, જીવનમાં ધન દોલત કરતા  સંસ્કાર મહત્વના હોય છે તેનું ઉદાહરણ શ્રી જયંતીભાઈ પરમાર છે.

આ પુસ્તક વિમોચન પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી નરહરિભાઈ અમીન, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મણીનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઇ ભટ્ટ, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, વરીષ્ઠ પત્રકાર અને પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી જયંતિભાઈ પરમારના પરિવારજનો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.