Western Times News

Gujarati News

ભાવનગરમાં મકાનનો દાદરનો ભાગ ધરાશાયી

ભાવનગર, ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં આવેલ કૈલાસ સોસાયટીમાં મકાનનો દાદારનો ભાગ ધરાશાયી દુર્ઘટનાં ઘટી છે. મળતી વિગતો પ્રમાણે ધરાશાયી મકાનમાંથી ૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હાઉસિંગ બોર્ડનાં ત્રણ માળિયા અને મકાનનો દાદર ધરાશાયી થતા લોકો મકાનમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરનાં બનેલી દુર્ઘટનામાં કૈલાસ સોસાયટીમાં મકાનનો દાદારનો ભાગ ધરાશાયી થયાની વિગતો સામે આવી છે. ઘટનાને લઈ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.

હાઉસિંગ બોર્ડનાં આ મકાનો છેલ્લા ૧૦ વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા છે. છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. નોંધનીય છે કે, અનેકવાર હાઉસિંગ મકાનમાં દુર્ઘટનાઓ થતી હોવા છતાં અધિકારીઓ દ્વારા રિનોવેશન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ફાયર વિભાગ દ્વારા હાલ ધરાશાયી મકાનમાંથી ૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. કોઈ જાનહાની નથી તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.