Western Times News

Gujarati News

અચાનક એવું તે શું થયું કે રિક્ષા ચાલકે બ્રિજ પરથી પડતું મુક્યું

પ્રતિકાત્મક

વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો

અમદાવાદ, અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ધમધમતા ટ્રાફિક વચ્ચે રિક્ષા ચાલકે આપઘાત કરતા જવાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે રિક્ષા ચાલકનું મોત થયું હતું.

આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ રિક્ષા ચાલકે કેમ આપઘાત કર્યો તેનું કારણ હજી સામે નથી આવ્યું. અમદાવાદના ઈસનપુર વિસ્તારમા રહેતા અને રિક્ષા ચાલક કપીલ કાલાએ આપઘાત કરી લીધો છે.

રિક્ષામા પક્ષીઓનો માળો સાચવી રાખનાર રિક્ષા ચાલક કપીલ કાલાએ આપઘાત કરીને પોતાના ઘરનો માળો વિખેરી નાખ્યો છે. વિગતો મુજબ કપીલ કાલા બપોરે ઘરેથી નીકળ્યા અને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઇસનપુરના રિક્ષા ચાલક કપીલ કાલાને અચાનક એવુ શુ થયુ કે,

તેણે વિશાલા બ્રિજ પરથી ધમધમતા ટ્રાફિકની વચ્ચે નદીમા પડતુ મુકીને આપઘાત કરી લીધો ? તે અંગે પણ અનેક સવાલ ઊભા થયા છે. આ તરફ રિક્ષા ચાલકે આપઘાત કરી લેતા ૨ દીકરીએ પિતા ગુમાવવાનો વારો આવ્યો છે. જાેકે હાલ તો પોલીસ આર્થિક સંકળામણ કે માનસિક તણાવને લઈને આપઘાત કર્યો હોવાનુ માની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.