Western Times News

Gujarati News

ફિલ્મ OMG-2ની સ્ટોરી મને પસંદ ન આવી: પરેશ રાવલ

મુંબઈ, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે પંકજ ત્રિપાઠી જાેવા મળશે. જ્યારે ફિલ્મના પહેલા ભાગમાં પરેશ રાવલ જાેવા મળ્યા હતા. હવે બધાને પ્રશ્ન એ થાય છે કે, પરેશ રાવલે ફિલ્મના બીજા ભાગમાં કેમ કામ ના કર્યું. I did not like the story of OMG-2: Paresh Rawal

તો તેનો જવાબ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે. ત્યારથી ચારે તરફ તેની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થશે. જાેકે, આ પહેલા આ ફિલ્મનો લૂક જાહેર થયો હતો ને હવે ટીઝર થયું છે.

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી જાેવા મળશે. જાેકે, ટીઝરમાં લોકોએ પરેશ રાવલને ઘણા મિસ કર્યા હતા. જાેકે, આ ફિલ્મ ન કરવા પાછળ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મની સ્ટોરી મને પસંદ ન આવી. તેમ જ આ રોલથી મને સંતોષ નહતો.

એટલે જ મેં આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એક્ટર પરેશ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, જાે કોઈ ફિલ્મની સિક્વલ બનાવવા માગે છે તો તે લગે રહો મુન્નાભાઈ જેવી હોવી જાેઈએ. આ રીતે તેમણે જણાવી દીધું હતું કે, તેઓ કેવા પ્રકારની સિક્વલ કરવા માગે છે.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક્ટર અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામની ભૂમિકામાં જાેવા મળશે. જ્યારે અક્ષય કુમાર તો ભગવાન શ્રીકૃષ્ણના રોલમાં જ જાેવા મળશે. ઉપરાંત યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મને અમિત રાયે ડિરેક્ટ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.