Western Times News

Gujarati News

જાે તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો અખરોટ ખાવઃ હાર્ટ હેલ્ધી રાખશે

અનેક બીમારીઓનો ખતરો ઘટે છે -જાે તમે બ્લડ પ્રેશરના દર્દી છો અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાવ છો તો તમારા માટે અખરોટનું સેવન ખૂબ જ ઉપયોગી સાબીત થઈ શકે છે

મુંબઈ, આજકાલ હાર્ટ એટેકના વધતા જતા બનાવોને ધ્યાનમાં લઈને હાર્ટને હેલ્થનું ધ્યાન રાખવું એ આપણી પ્રાયોરીટી બની ગઈ છે.

અને એ જ કારણસર આજે અમે અહી તમારા માટે એક એવું સુપર ડ્રાયફ્રુટ લઈને આવ્યા છીએ કે જેનું સેવન તમારા હાર્ટની હેલ્થને સારી રાખવામાં કીરોલ પ્લે કરશે હેલ્થ એકસપર્ટસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અખરોટ ખાવું એ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદમંદ છે. અને એટલું જ નહી આ અખરોટ ખાવાથી હાર્ટ પણ એકદમ ફીટ એન્ડ ફાઈન રહે છે. અખરોટના સેવનથી અનેક બીમારીઓને ખતરો ઘટે છે.

એકસપર્ટના જણાવ્યા અનુસાર જાે તમે પણ તમારા હૃદયને સ્વાસ્થય રાખવા માંગો છો તો નિયમીતપણે અખરોટનું સેવન કરવું જ જાેઈએ અખરોટ નિયમીત સેવન હાર્ટ એટેકના જાેખમને ટાળવામાં પણ મદદગાર સાબીત થઈ શકે છે. આ ઉપરાંત અખરોટનું સેવન બ્લડ કલોટીગની સમસ્યામાં પણ મદદરૂપ હોવાને મત નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી રહયા છે.

રોજીદા જીવનીમાં અખરોટ સેવન કરવાથી બ્લડ કવોલીટીમાં મદદ કરે છે. તેને નિયમીત ખાવાથી બ્લડ કલોટીગનીી મુશ્કેલીમાંથી રાહત મળી શકેછ . આ ઉપરાંત અખરોટનું રોજેરોજ સેવન કરવાથી લીપીડ મેટાબોલીઝમમાં ખાસ્સો એવા સુધારો જાેવા મળી રહયા છે.

જેને બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાવ છો. તો તમારા માટે અખરોટનું સેવન ખુબ જ ઉપયોગી સાબીત થઈ શકે છ. હેલ્થ એકસપર્ટના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જાે બ્લડપ્રેશરના દર્દીઓ દ્વારા નિયમીતપણે અખરોટનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરવામાં પણ તે ખુબ જ મદદરૂપ સાબીત થાય છે.

એટલું જ નહી પણ નિયમીતરૂપે અખરોટનું સેવન શરૂર પર આવતાં સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે. એક અખરોટ ખાવાના આટ-આટલા ફાયદાઓ જાણી લીધા બાદ ચોકકસ જ તમે પણ આજથી અખરોટ ખાવાનું શરૂ કરી જ દેશો. નહીં ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.