Western Times News

Gujarati News

20 વર્ષે મહિલાને ન્યાય મળ્યોઃ ડોકટરને 21 લાખ વળતર ચૂકવવું પડશે

સાબરમતીને પ્રદુષીત કરતા ૧ર૧ ઈન્ડસ્ટ્રીયલ ગટર જાેડાણો કપાયાં

વડોદરા, વડોદરાના કન્ઝ્‌યુમર ફોરમે ગ્રાહકની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના ૨૦ વર્ષ બાદ એક મહિલાને ન્યાય મળ્યો છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ તબીબે ફરિયાદીને ૨૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ વળતર મહિલાને તકલીફ ઓછી નહીં કરી શકે, પણ બેદરકાર તબીબો માટે સબક છે.

તબીબને ધરતી પરના ભગવાન કહેવાય છે કેમ કે તે વ્યક્તિનો જીવ બચાવે છે. જાે કે વડોદરામાં એક મહિલા માટે એક તબીબ દુશ્મન સાબિત થયો છે. તબીબે તેમની સમસ્યા દૂર કરવાની જગ્યાએ અનેક ગણી વધારી દીધી. વર્ષ ૨૦૦૪માં મહિલાની સર્જરી કરવામાં આવી હતી.

ફરિયાદી પક્ષનું માનીએ તો શૈલેષ તલાટી નામના તબીબે સર્જરી કરી અને યોગેશ શાહ નામના તબીબે મહિલાને એનેસ્થેસિયા આપ્યું હતું. જાે કે એનેસ્થેસિયાનો ડોઝ વધુ અપાતા નેહા શાહ નામના દર્દી કોમામાં પહોંચી ગયા હતા.

સર્જરી બાદ મહિલાની હાલતમાં સુધારો થવાની જગ્યાએ બગડતી ગઈ. તેમના પરિવારજનોએ ૩ વર્ષ સુધી હોસ્પિટલો બદલી. મહિલા કોમામાંથી બહાર તો આવ્યા, જાે કે શરીર ૯૦ ટકા કામ કરતું બંધ થઈ જતા આજે પણ પથારીવશ છે. ૨૦૦૭માં મહિલાના પતિ સમીર શાહે કન્ઝ્‌યુમર ફોરમમાં તબીબ સામે કેસ દાખલ કર્યો હતો.

પહેલા તો તબીબે પોતાની ભૂલ માનવાનો ઈન્કાર કર્યો. પછી એક લાખ રૂપિયામાં પતાવટ કરવાની પણ ઓફર કરી. જાે કે સમીરભાઈને ન્યાય જાેઈતો હતો.

કન્ઝ્‌યુમર ફોરમે કેસ દાખલ થયાના ૧૭ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ફરિયાદીને ૨૧ લાખ રૂપિયાનું વળતર આપવા તબીબને આદેશ આપ્યો છે. આ વળતર વડોદરાના કન્ઝ્‌યુમર ફોરમના ઈતિહાસમાં સૌથી વધુ વળતર છે. ફરિયાદીએ કન્ઝ્‌યુમર કોર્ટના ચુકાદા સામે સંતોષ વ્યક્ત કર્યો છે, ફરિયાદી સાથે ન્યાય થયો છે.

જાે કે એક વ્યક્તિની તકલીફ તેનાથી ઘટી જતી નથી. એક તબીબની બેદરકારી વ્યક્તિને કેટલી ભારે પડી શકે છે, તેનો આ દાખલો છે. આ કેસને જાેતાં સમજી શકાય છે કે તબીબના વ્યવસાયમાં બેદરકારીને કોઈ અવકાશ નથી. આ ચુકાદો આવા તબીબો માટે ચેતવણી સમાન છે, દર્દીઓે પણ પોતાના કાયદાકીય અધિકાર વિશે ખબર હોવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.