Western Times News

Gujarati News

Chandrayaan3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું

ISRO ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરને સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.

નવી દિલ્હી, ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ જણાવ્યું હતું કે તા. 05-08-2023ના રોજ એટલે કે શનિવારે ચંદ્રયાન-૩ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયુ છે.

જે ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્ર છે. ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું કે ચંદ્રયાન-૩ને મંગળવારે ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું.

નેશનલ સ્પેસ એજન્સીએ કહ્યું કે ‘ચંદ્રયાન-૩એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.’ ઈસરોએ જણાવ્યું કે ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક-ISTRAC સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં મૂક્યું છે.

ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્ર છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-૩ ચંદ્ર પર પહોંચતાની સાથે જ તેને ૫ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે. મંગળવારના ટ્રાન્સ-લુનર ઈન્જેક્શન પછી, ચંદ્રયાન-૩ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે એવા માર્ગ પર આગળ વધી રહ્યું છે જે તેને ચંદ્રની નજીક લઈ જશે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા પછી ચંદ્રયાન-3ના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય કયા છે જાણો છો?

ISRO ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરને સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. અગાઉ, ૧૪ જુલાઈએ ચંદ્રયાન-૩ મિશનના પ્રક્ષેપણ પછી, તેની ભ્રમણકક્ષા સતત પાંચ ગણી વધારવામાં આવી હતી. LVM-M4 રોકેટ દ્વારા ચંદ્ર પરના ભારતના ત્રીજા મિશન ચંદ્રયાન-૩ના સફળ પ્રક્ષેપણે માનવોને અવકાશમાં લઈ જવાના દેશના પ્રથમ કાર્યક્રમને મોટો વેગ આપ્યો છે.

આ રોકેટનો ઉપયોગ મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે કરવામાં આવશે. ISRO તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનના સફળ પ્રક્ષેપણ માટે જાેરશોરથી કામ કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ ૩ લોકોને ૩ દિવસ સુધી પૃથ્વીની ૪૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

ચંદ્રનો 60% ધ્રુવીય વિસ્તાર તપાસી ચુક્યું છે ચંદ્રયાન-2, એક વર્ષમાં જણાવીશું કે ચંદ્ર પર ક્યાં કેટલું પાણીઃ કે.સિવન

સતીશ ધવન સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ૧૪ જુલાઈએ ચંદ્રયાન-૩ને લઈ જનાર ૪૪.૩ મીટર લાંબુ LVM-3 રોકેટ ‘માનવીઓને સુરક્ષિત રીતે અંતરિક્ષમાં લઈ જવામાં’ સક્ષમ રોકેટ હશે. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.