Western Times News

Gujarati News

રાજ્યપાલ અને લેડી ગવર્નર દર્શના દેવીએ રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

રાષ્ટ્રના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ પરેડનું નિરીક્ષણ કરીને રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ અને રાજ્યપાલશ્રીના પરિસહાય શ્રી વિકાસ સુંડા અને શ્રી મનુ તોમરે પણ વૃક્ષારોપણ કર્યું હતું.

સ્ટેટ રિઝર્વ પોલીસના ગ્રુપ-૧૨ ની સલામી પ્લાટૂન અને બેન્ડ સાથે રાજભવન પરિવાર અને સલામતી રક્ષકોએ પણ ધ્વજવંદન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.