Western Times News

Gujarati News

રક્ષાબંધનના દિવસે પંચમહાલ ડીવિઝને ૭૦ બસોની વ્યવસ્થા કરી

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

ગોધરા બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. આવતીકાલે રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવાની છે. ત્યારે ગોધરા એસટી નિગમ દ્વારા પંચમહાલ,દાહોદ,અને મહીસાગર જિલ્લામાં સમાવેશ થતાં સાત ડેપો ખાતે એક્સ્ટ્રા ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં એક ડેપો દીઠ દસ બસો દ્વારા સંચાલન કરવામાં આવશે. તહેવારોના સમયે લોકો પોતાના વતન તરફ જવા નિકળતા હોય છે. આ દરમિયાન એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જાેવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે ગોધરા એસટી વિભાગના વિભાગીય નિયામક બી આર ડીંડોર દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ વધારા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.

ત્યારે આ વખતે ૭૦ બસોની મદદથી ગોધરા વિભાગના સાત ડેપોમાં સંચાલન કરવામાં આવશે.જેમાં દરેક ડેપો ખાતે ડેપો મેનેજર સહિત અધિકારી કર્મચારીઓને સ્ટેન્ડ બાય ગોઠવી દેવામાં આવ્યા છે. જેને લઈને આવનાર મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ના પડે તે માટે ગોધરા વિભાગના વિભાગીય નિયામક દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ,વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જાેવા મળતો હોય છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના – મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ.ટી બસનો ઉપયોગ કરતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.