Western Times News

Gujarati News

નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે

પ્રતિકાત્મક

અમદાવાદ, આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે! જી હા,,, રઢિયાળી રાતમાં ખેલૈયાઓને ભીંજવી નાખશે મેઘરાજા. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી આપી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. ૧૭થી ૨૦ ઑક્ટોબરે અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વખતે અલ-નીનોને કારણે શિયાળો ૧૫ દિવસથી ૨૫ દિવસ સુધી મોડો બેસશે. એટલે કે ભલે ચોમાસું વિદાય લઈ લે અને સત્તાવાર રીતે શિયાળો બેસી જાય. પરંતુ લગભગ ૧૫થી ૨૫ દિવસ સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય.

આ વખતે વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. રાજ્યમાં ૧૦ ઑક્ટોબરથી ચોમાસું લેશે વિદાય તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો મોડો બેસશે. પરંતું તેમણે નવરાત્રિમાં આપી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે.

અલ-નીનોની અસરના કારણે વાતાવરણમાં ઠંડક મોડા અનુભવાશે. ચોમાસુ ૧૦ ઓક્ટોબર સુધી વિદાય લેશે. ભેજવાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે. અલ નીનોના કારણે સમગ્ર અસર છે. પરંતુ નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે. ૧૦ ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને ૧૩ અને ૧૪ ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે ૧૭ થી ૨૦ ઓક્ટોબરે વરસાદ રહી શકે છે.

દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જાેવાઈ રહી છે શિયાળાની. જાે કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જાેવી પડે તેમ છે, તો બીજી તરફ વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે.

ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદે પોતાની ઈનિંગ લગભગ પૂરી કરી લીધી છે. હવે પાછોતરા વરસાદની જ સંભાવના છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી દિવસનું તાપમાન ઘટવાની સાથે શિયાળાનું આગમન થઈ જતું હોય છે. જાે કે આ વખતે તેની સંભાવના ઓછી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.