Western Times News

Gujarati News

My Bharat નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવા કેન્દ્ર સરકારનો ર્નિણય

નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે માય ભારતનામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો ર્નિણય લીધો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘માય ભારત’ પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી યુવાઓ તેના પર જાેડાશે. આ પ્લેટફોર્મ ભારતને બનાવવાનું સપનું સાકાર કરશે.

આના દ્વારા યુવાનો તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકશે. આ પ્લેટફોર્મ ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ જ દિવસે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પણ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, દેશ દરેક માટે પ્રાથમિકતા છે.

ભારતના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અમે માય ભારતપ્લેટફોર્મ લઈને આવ્યા છીએ. તે યુવાઓની ભાગીદીરી માટે જ છે. તમે પણ ભારત જાેડવાની વાત કરી રહ્યા છો અને કોંગ્રેસ પણ ભારત જાેડો યાત્રાની વાત કરી રહી છે તેવા સવાલ પર અનુરાગ ઠાકુરે કટાક્ષ કરતા કહ્યું કે, દરેક વ્યક્તિએ દેશને જાેડવો જાેઈએ પરંતુ ભાવના સાચી હોવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.