Western Times News

Gujarati News

શક્તિશાળી ભારત માટે કરવેરાનું મહત્વ સમજવાની જરૂરઃ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ

આવકવેરા વિભાગ સમગ્ર દેશમાં વિવિધ આઉટરીચ કાર્યક્રમો સાથે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યું છે.
આ સંદર્ભે દિવ્યપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી અજય ગોયલે, ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, અમદાવાદ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ દેશના ભાવિ નેતાઓ છે અને તેઓએ શક્તિશાળી ભારત માટે કરવેરાનું મહત્વ સમજવાની જરૂર છે. શ્રી અજય ગોયલ, CCIT દ્વારા વિદ્યાર્થીઓને ખાસ ડિઝાઇન કરાયેલ બોર્ડ ગેમ્સ પણ સોંપવામાં આવી હતી. આ રમતો વિદ્યાર્થીઓને કરવેરા પ્રણાલીની વધુ સારી રીતે સમજવામાં સક્ષમ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.