Western Times News

Gujarati News

ઘણી અભિનેત્રી લગ્ન પહેલાં કરવા લાગી કરવા ચોથનું વ્રત

મુંબઈ, કરવા ચોથનું વ્રત પતિની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે સ્ત્રીઓ કરતી હોય છે. આજે કરવા ચોથનું વ્રત છે ત્યારે પૂજા-વિધિમાં પણ અનેક ઘણું મહત્વ રહેલું હોય છે. ખાસ કરીને આ વ્રત લગ્ન પછી કરવામાં આવે છે. આ દિવસે આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે. ચાંદ જાેયા પછી આ વ્રત પૂરું કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જે લગ્ન પહેલાંથી જ કરવા ચોથનું વ્રત કરવા લાગી છે. તો જાણો આ લિસ્ટમાં કોણ છે.

બિગ બોસ ફેમ અને ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે લગ્ન પહેલાંથી કરવા ચોથનું વ્રત કરે છે. અંકિતા ઘણાં વર્ષોથી આ વ્રત કરે છે. લગ્ન પહેલાં કરવા ચોથનું વ્રત કરવાની વાતને લઇને અંકિતા જણાવે છે કે એને આ વ્રતનો કોન્સેપ્ટ ગમે છે. એક્ટ્રેસે વધુમાં જણાવ્યું હતુ કે, આ તહેવારના દિવસે મહેંદી લગાવવી અને ટ્રેડિશનલ સ્ટાઇલમાં તૈયાર થવુ ગમે છે.

ગયા વર્ષે અંકિતા એના બોયફ્રેન્ડ વિક્કી જૈન માટે કરવા ચોથનું વ્રત કર્યુ હતુ. બિગ બોસ ૧૩ની કન્ટેસ્ટેન્ટ અને અભિનેત્રી આરતી સિંહનું નામ પણ આ લિસ્ટમાં છે. જે લગ્ન પહેલાં કરવા ચોથનું વ્રત કરે છે. આરતીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કહ્યું હતુ કે, મેં લગ્ન કર્યા નથી, અને હું કોઇ રિલેશનશિપમાં પણ નથી, પરંતુ હું મારા સાથી માટે વ્રત કરું છું. આરતીનું કહેવું છે કે મારો પાર્ટનર જ્યાં પણ હોય ત્યાં એના માટે વ્રત કરીશ. ટીવી સિરીયલ દિલ સે દિલ તકની અભિનેત્રી હિમાની શર્મા પણ લગ્ન પહેલાં કરવા ચોથનું વ્રત કરે છે. હિમાની ચોથા ધોરણથી કરવા ચોથનું વ્રત કરે છે.

સારા પાર્ટનર માટે નહીં પરંતુ હિમાની પેરેન્ટ્‌સ માટે આ વ્રત કરે છે. હિમાનીનું માનવું છે કે આ વ્રત માત્ર પાર્ટનર માટે નહીં પરંતુ આપણી જે વ્યક્તિ આપણી નજીક છે અને તમને પ્રેમ કરે છે એના માટે પણ તમે કરવા ચોથનું વ્રત રાખી શકો છો. ટીવીની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબી પણ લગ્ન પહેલાંથી કરવા ચોથનું વ્રત કરે છે. વર્ષ ૨૦૨૦માં શલભ ડાંગ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. પહેલાં લગ્ન પછી અભિનેત્રી પોતાના બોયફ્રેન્ડ માટે આ વ્રત કરતી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.