Western Times News

Gujarati News

અમદાવાદ માટે નવા સાત ફ્લાયઓવર મુખ્યમંત્રીએ મંજૂર કર્યા

Files Photo

૩૦૫ કરોડના પ્રોજેક્ટ માં આ વર્ષે ૩૩.૫ કરોડ ફાળવવામાં આવ્યાઃ અમદાવાદની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરમાં ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.

અમદાવાદ મહાનગરમાં જે ૭ ફલાય ઓવર માટે મુખ્યમંત્રીએ નાણાં ફાળવ્યા છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રીજ (૪ લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (૪ લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (૨ટ૨ લેન), પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (૨ટ૨ લેન), સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ (૪ લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (૨ટ૨ લેન) તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (૩ટ૨ લેન)નો સમાવેશ થાય છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે.  રાજ્યના ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૨૦ ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. આ ર૦ ફલાય ઓવરબ્રીજ પૈકીના ૭ બ્રીજ બનાવવાના કામો માટે કુલ રૂ. ૩૩૫ કરોડ પૈકી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે રૂ. ૩૩.પ કરોડ ફાળવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.