Western Times News

Gujarati News

અમરેલીના ખેડૂતોને ૧ રૂપિયો ભરવા કોર્ટે ફટકારી નોટિસ

અમરેલી, ગુજરાતમાંથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં એક ખેડૂતને માત્ર એક રૂપિયાની ભરપાઇ કરવા માટે કોર્ટ મારફતે નોટિસ અપાઇ છે.

આ ઘટના પીજીવીસીએલના વીજ કનેક્શન રદ્દ કરવાના કિસ્સા સાથે જાેડાયેલી છે. ખરેખરમાં, વાત એમ છે કે, અમરેલી જિલ્લાનાં કુંકાવાવના એક ખેડૂતને પીજીવીસીએલ દ્વારા એક રૂપિયાની નૉટિસ અપાઇ છે.

અગાઉ સાત વર્ષ પહેલા કુંકાવાવાના ખેડૂતના ખેતરમાં એક વીજ કનેક્શનને રદ્દ કરવામા આવ્યુ હતુ, જે પછી આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, હવે આ મામલે ખુદ પીજીવીસીએલે કોર્ટ મારફતે કુંકાવાવના ખેડૂતને એક રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે, પાંચ રૂપિયાની ટિકીટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ અપાઇ છે.

હવે ખેડૂતે ખેતીકામ છોડીને કોર્ટમાં જવુ પડશે. ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલા માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે, વળી, કેટલાય પાકો હવે આગામી સિઝનમાં આવી શકે તેમ નથી, કમોસમી વરસાદના કારણે અનેક નેતાઓ અને સંગઠનોએ સરકાર પાસે ખેડૂતોને મદદ અને સહાય કરવા અંગે રજૂઆત કરી હતી, આ પછી સરકારે સર્વેની કામગીરી શરૂ હતી.

જાેકે, આ બધાની વચ્ચે હવે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ અને સર્વેની કામગીરી પર મોટુ અપડેટ આપ્યુ છે.

તેમને કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ ર્નિણય લેવાશે.

હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ માટે કામ કરી રહી છે.

તમામ ધોરણે નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ ઉપરાંત યૂરિયા ખાતરને લઇને પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. ગીર સોમનાથ જિલ્લામાં યૂરિયા ખાતરની અછત અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, રવિ સીઝનમાં વાવણી પહેલા ખાતરની માગ ખેડૂતો કરતાં હોય છે, અને આ અંગેની રજૂઆતો પણ અમારી પાસે આવી છે.

ગીર સોમનાથ જિલ્લાનો આ પ્રશ્ન પણ મારા ધ્યાન પર આવ્યો છે, પરંતુ હાલમાં યૂરિયા ખાતરની કોઇ અછત નથી.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું હોવાનો પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે.

રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી. આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર ૭૦૦ કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રાઘવજી પટેલે કહ્યું હતું કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી.

રવિ સીઝનમાં ૧૫થી ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. ૩૪ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ, ૬ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ, ૧૪ જિલ્લામાં ૩૪ તાલુકાઓમા ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.