દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પરિવારજનોની મંજૂરી જરૂરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/ICU.jpg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઈસીયુમાં દાખલ કરવાના પોતાની હાલની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના અથવા તેમના પરિવારજનોના ઈનકાર કરવા પર આઈસીયુમાં દાખલ ન કરી શકે. ૨૪ એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, જાે ગંભીર રીતે બીમાર દર્દી અથવા બીમારીની સારવાર શક્ય ન હોય અથવા ઉપલબ્ધ ન હોય અને થઈ રહેલી સારવારની કોઈ અસર નથી થવાની અને ખાસ કરીને દર્દીના જીવિત રહેવાની દ્રષ્ટિએ તો તે દર્દીને આઈસીયુમાં રાખવું એ નિરર્થક સંભાળ રાખવા બરાબર છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જાે કોઈ દર્દી અથવા દર્દીના પરિવારજનો આઈસીયુમાં દેખરેખની વિરુદ્ધ છે તો તે દર્દીને આઈસીયુમાં દાખલ ન કરવો જાેઈએ.
કયા દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે
– મહામારી અથવા આપત્તિની સ્થિતિમાં જ્યારે સંસાધનો મર્યાદિત હોય ત્યારે દર્દીને આઈસીયુમાં રાખવા માટે નિમ્ન પ્રાથમિકતાના માપદંડો ધ્યાનમાં રાખવા જાેઈએ.
– ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સર્જરી બાદ સ્થિતિ ખરાબ થઈ જાય અથવા જે દર્દીને મોટી સર્જરી બાદ જટિલતાનું જાેખમ થઈ શકે છે તેને આઈસીયુદાખલ કરવું આવશ્યક છે.
– દર્દીને આઈસીયુમાં દાખલ કરવાનો માપદંડ કોઈ અંગનું કામ કરવાનું બંધ થઈ જવું અને મદદની જરૂરિયાત અથવા સારવારમાં અછતની સંભાવના પર આધારિત હોવો જાેઈએ.
– જે દર્દીઓના હદય અથવા શ્વસન અસ્થિરતા જેવી કોઈ મોટી ઈન્ટ્રાઓપરેટિવ જટિલતા અનુભવાય અથવા મોટી સર્જરી થઈ હોય તે પણ માપદંડોમાં સામેલ છે. ગાઈડલાઈનમાં ગંભીર રીતે બીમાર દર્દીઓને જે સ્થિતિઓમાં આઈસીયુમાં દાખલ ન કરવા માટે કહેવામાં આવ્યું છે તેમાં- દર્દી અથવા દર્દીના પરિવાર દ્વારા આઈસીયુમાં દાખલ કરવાનો ઈનકાર કરવો, કોઈપણ બીમારી કે જેની સારવાર મર્યાદિત હોય તે સામેલ છે. SS2SS