Western Times News

Gujarati News

સચિન-અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે માલદીવ ફરવા નહીં જવાની અપીલ કરી

નવી દિલ્હી, મહાન ક્રિકેટર સચિન તેંદુલકર અને બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર સહિત મોટી મોટી હસ્તીઓએ પણ માલદીવના મંત્રીના વિવાદીત નિવેદનના વિરોધમાં ભારતીય દ્વીપોનું સમર્થન કર્યું છે.

એક મંત્રી સહિત અમુક માલદીવિયોએ એક્સ પર ભારત વિરોધી ટિપ્પણી પોસ્ટ કરી હતી, જેની ભારતમાં ખૂબ જ ટિકા થઈ રહી છે. ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ અને તેના પર્યટન સ્થળોનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું છે. માલદીવને પ્રધાનમંત્રી મોદીની હાલમાં લક્ષદ્વીપ યાત્રાથી ખૂબ જ તકલીફ થઈ છે. પોતાની આ યાત્રા દરમ્યાન મોદીએ અહીં વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું અને લક્ષદ્વીપના સુંદર સમુદ્ર તટ પર મુલાકાત લીધી હતી.

સમુદ્રમાં સ્નોર્કલિંગ કરતા મોદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને એક્સ પર ટોપ ટ્રેડિંગમાં રહી હતી. અક્ષય કુમારે એક્સ પર પોસ્ટ કરતા માલદીવના મુખ્ય સાર્વજનિક હસ્તીઓ દ્વારા ભારતીયો પર ધૃણિત અને નસ્લવાદી ટિપ્પણીઓ કરી હતી. નવાઈ લાગે છે કે કે એક એવા દેશ વિશે બોલી રહ્યા છે, જે સૌથી વધારે સંખ્યામાં પર્યટક મોકલે છે.

અમે પણ પાડોશીઓ પ્રત્યે સારા છીએ, પણ આપણે આવી કારણ વગરની નફરત કેમ સહન કરવી જોઈએ? મેં ઘણી વાર માલદીવની મુલાકાત લીધી છે અને હંમેશા તેના વખાણ કર્યા છે, પણ ગરિમા પહેલા છે. આવો આપણે ભારતીય દ્વીપોની શોધ કરીએ અને નિર્ણય લઈએ અને પોતાના પર્યટનનું સમર્થન કરીએ. સચિન તેંદુલકરે એક્સ પર લખ્યું છે કે સિંધુદુર્ગમાં મારો ૫૦મો જન્મદિવસ મનાવતા ૨૫૦થી વધારે દિવસ થઈ ગયા છે.

તટીય શહેર આપણને બધું જ આપે છે, જે આપણે જોઈએ છીએ અને તેનાથી પણ વધારે. અદ્ભૂત આતિથ્ય સાથે ભવ્ય સ્થાન અમારા માટે યાદોનો ખજાનો આપ્યો. ભારતને સુંદર સમુદ્ર તટ અને પ્રાચીન દ્વીપોના આશીર્વાદ મળેલા છે. આપણા અતિથિ દેવો ભવના દર્શન સાથે, આપણી પાસે શોધવા માટે ઘણું બધું છે, ઘણી બધી યાદો બનવાની પ્રતીક્ષા કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.