Western Times News

Gujarati News

કોહલી સુકાની હોત તો ભારત ઈંગ્લેન્ડ સામે ન હાર્યું હોતઃ વોન

નવી દિલ્હી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ભારતને ૨૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે જાે વિરાટ કોહલી કેપ્ટન હોત તો ભારત ઇંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટ હાર્યું ન હોત. તેનું માનવું છે કે રોહિત શર્મા મેચ દરમિયાન ‘સ્વિચ ઓફ’ રહ્યો હતો.

પ્રથમ ઇનિંગમાં ૧૯૦ રનની લીડ મેળવ્યા બાદ મજબૂત સ્થિતિમાં કોહલી વિના ભારતીય ટીમ સ્પિન અનુકુળ પરિસ્થિતિઓમાં હોવા છતાં ૨૮ રને હારી હતી. જેથી ઇંગ્લેન્ડે ૫ મેચોની આ ટેસ્ટ સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આ હૈદરાબાદમાં ભારતીય ટીમની પ્રથમ હાર હતી. વિરાટ કોહલી અંગત કારણોસર શરૂઆતની બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.

માઈકલ વોને કહ્યું, “ભારતે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીને ખુબ મિસ કરી. વિરાટની કેપ્ટન્સીમાં ભારત પ્રથમ મેચ ન હાર્યું હોત.” વોને મેચ દરમિયાન રોહિતના નેતૃત્ત્વની ટીકા કરી હતી. તેણે કહ્યું, “રોહિત એક દિગ્ગજ અને મહાન ખેલાડી છે. પરંતુ મને લાગ્યું કે તે સંપૂર્ણપણે ઓફ થઇ ગયો હતો.”

વોને વધુમાં કહ્યું, “મને લાગ્યું કે રોહિત શર્માની કેપ્ટન્સી ઘણી એવરેજ છે, મને લાગ્યું કે તે એક્ટિવ ન હતો. તેણે તેની ફિલ્ડિંગ અથવા બોલિંગમાં વધુ ફેરફાર કર્યો ન હતો. તેમની પાસે ઓલી પોપના સ્વિપ અને રિવર્સ સ્વિપનો કોઈ જવાબ ન હતો.” SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.