Western Times News

Gujarati News

હીરો જ નીકળ્યો વિલન, દર્શકોના હોશ ઊડી ગયા

મુંબઈ, વર્ષ ૨૦૨૨માં સાઉથની એક ફિલ્મ આવી જેણે દર્શકોના મનને હચમચાવી નાખ્યું. ખાસ વાત એ છે કે ફિલ્મની શરૂઆતમાં જે પાત્રને લોકો હીરો માનતા હતા તે ક્લાઈમેક્સમાં વિલન સાબિત થાય છે. તે ફિલ્મનું નામ છે ‘જન ગણ મન’.

મલયાલમ ભાષામાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત હિટ રહી હતી. ‘જન ગણ મન’ એક સસ્પેન્સ-Âથ્રલર ફિલ્મ છે, જેને પડદા પર શાનદાર રીતે દર્શાવવામાં આવી છે. જો તમે આ ફિલ્મ જોવાનું શરૂ કરશો, તો તે સમાપ્ત થાય ત્યાં સુધી તમને ઉઠવાનું મન થશે નહીં.

કારણ કે આ ફિલ્મ તમને અંત સુધી બાંધી રાખે છે. જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારે વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

પૃથ્વીરાજ સુકુમારન અને સૂરજ વેંજારામુડુએ ‘જન ગણ મન’માં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે અને બંને સ્ટાર્સે પોતાના જોરદાર અભિનયથી દરેકને પોતાના ચાહકો બનાવી દીધા હતા.

ફિલ્મ ‘જન ગણ મન’ની વાર્તા યુનિવર્સિટીના પ્રોફેસરની હત્યાથી શરૂ થાય છે અને પછી તેની તપાસની જવાબદારી એસીપી સજ્જન કુમાર (સૂરજ વેંજારામુડુ)ને આપવામાં આવે છે. વાર્તામાં ટ્વિસ્ટ આવે છે જ્યારે અરવિંદ સ્વામીનાથન (પૃથ્વીરાજ સુકુમારન) પ્રવેશે છે.

અરવિંદ સ્વામીનાથન કોર્ટમાં સજ્જન કુમાર સામે કેસ લડે છે અને તે એક-એક કરીને સમગ્ર કહાણી ખોલે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં જ્યારે પ્રોફેસરની હત્યા પાછળનું રહસ્ય ખુલ્યું છે ત્યારે બધા ચોંકી જાય છે. આ ફિલ્મનું નિર્દેશન ડીજો જોસ એન્ટની દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મની વાર્તા શારિસ મોહમ્મદે લખી છે.

નવાઈની વાત એ છે કે આ ફિલ્મનું બજેટ ઘણું ઓછું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, ‘જન ગણ મન’ બનાવવા માટે નિર્માતાઓએ લગભગ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ હતી.

આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જો તમે કોઈ કારણસર થિયેટરમાં પૃથ્વીરાજ સુકુમારન અને સૂરજ વેંજારામડુની ફિલ્મ ‘જન ગણ મન’ જોઈ શક્યા નથી અને જોવા માંગતા હો, તો આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.