Western Times News

Gujarati News

ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોની ભીડ જામી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની કતારો જામી હતી.ભક્તોએ દર્શન, પૂજન,પ્રસાદી, મહાઆરતી સાથે અંગારીકા ચોથની ઉજવણી કરી ધાન્યતા અનુભવી હતી.

મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે.આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે.ભકતો ગણેશજીને પ્રિય એવા મોદક,લાલ જાસૂદ,ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા અર્ચના કરતા હોય છે. ભરૂચના મકતમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.