Western Times News

Gujarati News

વંધ્યત્વ વાંઝીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અનુભવ: આયુર્વેદમાં ઉપચાર

જીવનની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન

કોઇપણ પ્રકારના ગર્ભનિરોધક સાધન કે ગોળીનો ઉપયોગ કર્યા વિના નિયમિત સમાગમ બાદ એક વર્ષ પછી પણ ગર્ભધારણ ન થાય તો આવી પ્રજનનની અશક્તિ વંધ્યત્વ તરીકે ઓળખાય છે. પ્રત્યેક દંપત્તિ માટે જીવનની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન, પણ કેટલાક દંપતિને તે ન મળે ત્યારે છે

અને જીવન નિરાશાથી ઘેરાઇ જાય છે. વંધ્યત્વ વાંઝીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અનુભવ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગા સંબંધી દ્વારા કરવામાં આવતી પૃચ્છા અત્યંત ત્રાસદાયક બની રહે છે. અને ત્યાંથી શરૂ થાય છે વ્યથાની એક સફર…આ વંધ્યત્વનો સામનો કેવી રીતે કરવો?

આ સ્થિતિમાં નિરાશ થવાની જરૂર નથી; જરૂર છે રોગની વૈદ્યકીય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજણ કેળવવાની, અંધશ્રદ્ધા અને વહેમોથી દૂર જઇને વૈજ્ઞાનિક પરિક્ષણો દ્વારા રોગોના કારણો જાણી, સમજી તેમાં ધીરજપૂર્વકનો પ્રયત્ન એ જ તેના ઇલાજનો માર્ગ છે. વંધ્યત્વ કોને કહીશું? સમગ્ર વિશ્વના કુલ દંપતિ પૈકી ૧૫ થી ૨૦% દંપતીને વંધ્યત્વનો સામનો કરવો પડે છે. એટલે કે દુનિયાભરમાં ૧૦ થી ૧૨ કરોડ દંપતિ વંધ્ય છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

વંધ્યત્વના કારણો વંધ્યત્વની સ્થિતિ માટે દંપતિ પૈકી સ્ત્રી અથવા પુરુષ બંનેની સંયુક્ત ખામી જવાબદાર બની શકે છે. અને આ કારણોમાં ઉંમર, રહેણી કહેણી, શારીરિક રચનાકીય ખામી, અંતઃ સ્ત્રાવોની અનિયમિતતા, જાતીય જ્ઞાનનો અભાવ, પતિ-પત્નિ વચ્ચેનો મનમેળ ન હોવો તેમજ દૈવ (અજ્ઞાત) આ બધા જવાબદાર હોઇ શકે છે. જો કે વંધ્યત્વના કારણોમાં પુરુષમાં ૨૫%, સ્ત્રીઓમાં ૫૮% કારણો જવાબદાર હોય છે. જ્યારે ૧૭% કેસમાં કોઇ કારણો જાણવા મળતા નથી. જે ઇશ્વરેચ્છાને આધીન જ ગણાવી શકાય.

પુરુષગત કારણો પુરુષોમાં વંધ્યત્વની ખામીના કારણોમાં મુખ્યત્વે વીર્યમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા, મોટાલિટી ની ઓછી ટકાવારી ,અલ્પ જીવંતતા, વીર્યમાં પરૂ આવવું., વીર્ય પાતળું હોવું, વીર્યને લગતા આ કારણો સિવાય પણ સમાગમ શક્તિની ઉણપ, સ્તંભન શક્તિની અલ્પતા, સમાગમની શરૂઆતમાં જ વીર્યસ્ત્રાવ થઇ જવો, વીર્યને બહાર લાવનારી નળીઓમાં અવરોધ હોવો કે માર્ગ જ બંધ હોવો જેવા કારણો પણ આ માટે જવાબદાર હોઇ શકે છે.

સ્ત્રીગત કારણો બીજાશયની ખામીને કારણે અનિયમિત માસિક આવવું, ઓછું કે વધારે માસિક આવવું અને આને લીધે સમયસર સ્ત્રીબીજ છૂટું ન પડવાથી ગર્ભાધાન શક્ય બનતું નથી. ફેલોપીઅન ટ્યુબમાં ખામીને કારણે બીજનું ગર્ભાશય સુધી ન હોંચી શકવું. વારંવાર ગર્ભપાત કરાવવાથી. યોનિના વિવિધ પ્રકારના ચેપને કારણે યોનિની અંદરની દિવાલ પર કે ગર્ભાશયના મુખ પર ચાંદી પડવી કે સોજો આવવો. યોનિની વધારે પડતી ગરમી એસિડીકતામાં પણ વીર્યમાં રહેલા શુક્રકોષો જીવિત રહી ન શકવાથી. વધારે પડતાં વજનને લીધે ગર્ભાશયની દિવાલ, બીજાશય પર ચરબી જામી જવાને કારણે પણ ગર્ભ ધારણ થઇ શકતો નથી.

લાંબી માંદગી તેમજ તેને લીધે આવેલી નબળાઈ ઉપરાંત સતત શરીર ધોવાવાને કારણે પણ આ તકલીફ થઇ શકે છે. સ્ત્રી પુરુષના સંયુક્ત કારણો. ઓછું તેમજ ખોટું જાતીય જ્ઞાન અનિય વચ્ચે મનમેળ ન હોવો. આ બધા કારણો પૈકીનું કોઇ પણ એક કારણ, ઉપરાંત ઘણાં અજ્ઞાત કારણો જવાબદાર હોઇ શકે છે. નો ઉપચાર શક્ય છે ?
આયુર્વેદિક ચિકિત્સાલયમાં તપાસ દંપતિને તપાસ્યા પછી; વંધ્યત્વના જવાબદાર કારણો શોધી, જરૂર પડ્‌યે આધુનિક સાધનોની મદદથી કારણો નક્કી કર્યા પછી ચોક્કસ પદ્ધતિથી સારવાર શક્ય છે.

પુરુષગત વંધ્યત્વની સારવાર-પુરુષગત કારણોમાં વીર્યમાં શુક્રાણુંની ઊણપ અંગેની આયુર્વેદમાં ઉત્કૃષ્ટ સારવાર ઓ ટકા શક્ય છે. જેથી પુરુષગત કારણો મહદ્‌અંશે નિર્મૂળ કરી શકાય છે. અને આવા સેંકડો કેસ સારા થયાનો અનુભવઘણા વર્ષોથી કર્યે છીએ.

પુરુષ વંધ્યત્વના અન્ય કારણો જેવા કે વીર્યનો સ્ત્રાવ જલ્દી થઇ જવો શીઘ્ર સ્ખલન, ઉત્તેજના અથવા કામેચ્છાનો અભાવ નપુંસકતા જેવા જાતિય રોગોની યોગ્ય તપાસ કરીને શુદ્ધ આયુર્વેદ સારવાર અહિં આપવામાં આવે છે અને આ પ્રકારના તથા અન્ય જાતિય પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવીને વંધ્યત્વને ટાળી શકાય છે. જેના માટે આપવામાં આવતી આયુર્વેદિક દવાઓ સંપૂર્ણતઃ હોતી આડઅસર રહિત હોવાથી તેનાથી બીજી કોઇ તકલીફો થવાની કે આદત પડવાની સંભાવના નથી.

સ્ત્રી વંધ્યત્વની સારવાર સ્ત્રીઓના કારણોમાં બીજાશયની ખામીમાં અંતઃસ્ત્રાવોની, હોર્મોનની ઉણપને સંતુલિત કરવા માટે આપવામાં આવતી વિલાયતી દવાઓ બીજાશયને સ્વસ્થ કરવામાં મદદ તો કરે જ છે પણ શરીરને નુકશાનકારક અને આડઅસર પણ કરે છે.

આ તેનું નબળું અને સત્ય પાસું છે. તેની આડઅસરમાં અધિક રક્તસ્ત્રાવ થવો, ઉબકા, સ્તનની નાજુકતા, દુઃખાવો, શરીરમાં પાણીનું વધવું, વજન વધી જવું, ગભરામણ, ટેન્શન, માથાનો દુઃખાવો વગેરે થવાની શક્યતાઓ રહે છે. પરંતુ વનૌષધિઓ દ્વારા નિર્મિત આયુર્વેદિક દવાઓના ઉપચારથી આડઅસર વગર સ્ત્રીઓની આ ખામી દૂર કરી શકાય છે, અને વંધ્યત્વના રોગમાંથી મુક્ત થઇ શકાય છે.

યોનિમાર્ગના ચેપ તેમજ વધારે પડતા સફેદ સ્ત્રાવ (શરીર ધોવાવું), તથા યોનિમાર્ગની વધારે પડતી ગરમી એસિડીકતાની આયુર્વેદના ઔષધો દ્વારા અને જરૂર પડ્‌યે પંચકર્મ સારવાર દ્વારા નિરાકરણ લાવવાથી ગર્ભ રહેવામાં સરળતા રહે છે.

ફેલોપીઅન નળી બંધ હોવાના કિસ્સામાં આધુનિક વિજ્ઞાનમાં કોઇપણ પ્રકારની સારવાર નથી. પણ આયુર્વેદ પંચકર્મમાં ઉત્તરબસ્તિ કર્મ જેમાં યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં ઔષધ પ્રવેશ કરાવવામાં આવે છે. દ્વારા ફેલોપીઅન નળી ખુલી જઇને ગર્ભ રહે છે.

સંયુક્ત કારણોનો ઉપાય અપુરતા અને ખોટાં જાતિય જ્ઞાનને કારણે તેમજ જાતિય મૂંઝવણને કારણે યોગ્ય રીતે યોગ્ય દિવસે સમાગમ થવાથી ગર્ભ ન રહેવાના કિસ્સામાં આયુર્વેદિક ચિકિત્સાલયમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું હોઈ છે. કામશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે અને તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. વળી, પ્રજનન માટે પણ સ્ત્રી-પુરુષ સંબંધ જ આવશ્યક છે પણ તેની ચોક્કસ પદ્ધતિ અને વ્યવસ્થાઓ છે.

કામ વિજ્ઞાનને જો યોગ્ય રીતે સમજી લેવામાં આવે તો વંધ્યત્વ જેવી સમસ્યામાં જ્યારે બધા રિપોર્ટ નોર્મલ હોય અને અન્ય કોઇ કારણન જણાય ત્યારે આ દિશામાં યોગ્ય પૃથ્થકરણ કરવામાં આવે તો ચોક્કસ કોઇને કોઇ રસ્તો મળે છે. આમ જોઇએ તો જેમ જીવન વિષયક અનેક જ્ઞાન મેળવતાં જ હોઇએ છીએ તેમ જાતીય જ્ઞાન સેક્સનો અભ્યાસ પણ પ્રેત્યેક વ્યક્તિએ મેળવવો આવશ્યક છે. ઘણાં બધા વિષયોનું જ્ઞાન તમામ શંકાઓનું સમાધાન કરવામાં આવે છે.

જેમાં; જાતિય અવયવોની ક્રિયા અને રચના ગર્ભાધાનની પ્રક્રિયા વંધ્યત્વના કારણોની સમજ પુરુષ અને સ્ત્રી બંનેના જાતિય સમસ્યાઓની સમજણ, લગ્નજીવનને વધુ આનંદમય બનાવવાનું માર્ગદર્શન, શંકા નિવારણ વગેરે. આજકાલ દરેક જગ્યાએ IVF કે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા વંધ્યત્વ નિવારણની સારવાર ખૂબ જ પ્રચલિત છે. અને તેને કારણે ઘણાં નિઃસંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ છે અને તેને કારણે આ સારવાર પદ્ધતિ વધારે પ્રચલિત બની છે;

પણ તે વધુ પ્રચલિત બનવાનું મુખ્ય કારણ તો તેની પાછળનું અર્થશાસ્ત્ર પણ છે. પણ જ્યારે IVF નિષ્ફળ જાય છે ત્યારે આયુર્વેદ એ જ માત્ર આશિર્વાદરૂપમાં ફળીભૂત થાય છે. આયુર્વેદની ગર્ભવિજ્ઞાનની એક વિશેષ વિચારધારા અને નિદાન પદ્ધતિ છે. જેમાં માત્ર રિપોર્ટ પર જ આધાર ન રાખતાં સ્ત્રી-પુરુષ બંનેના જનન અવયવોના વાયુ-પિત્ત-કફ વગેરે દોષોની સંતુલિતતા

અને ગર્ભાધાન માટેના સમાગમ કાળ દરમ્યાનની ત્રણેય દોષોની સંતુલિતતા, આહાર, વિહાર, માનસિક ઐક્ય વગેરે ઘણી બધી બાબતો સંકળાયેલ છે. જેના કોઇ પણ લેબોરેટરીમાં રિપોર્ટ થતાં નથી. તેથી આધુનિક વિજ્ઞાનની નિષ્ફળતા બાદ પણ આયુર્વેદ એક ડગલું આગળ ભરે છે અને આવા અનેક કેસોમાં સફળતાપૂર્વક સારવાર થકી આજે ઘણાં બધાં નિઃસંતાન દંપતીએ આયુર્વેદના ૠષિઓના આશિર્વાદરૂપ સંતાન પ્રાપ્તિ કરેલ છે.

આપ પણ અમારા ક્લિનિકની મુલાકાત લઇને એકવાર આપની તકલીફ માટે માર્ગદર્શન, સલાહ મેળવવા અવશ્ય આવી શકો છો. ૈંફહ્લ કરાવતાં પહેલા એકવારની અમારી મુલાકાત આપને માટે આશિર્વાદ સમાન બની જશે. સંતાન પ્રાપ્તિની સાથે ગર્ભ સંસ્કાર અને ષોડશ સંસ્કાર ઇચ્છાનુસાર સંતાન પ્રાપ્તિ માટે માર્ગદર્શન, સલાહ, સારવાર વૈદ્યની સલાહ મુજબ કરવી. શું સારવાર કરવી તે જાણવા માટે, બંને ભાગીદારોના વ્યાપક સર્વેક્ષણની જરૂર છે.

આ સાથે ખેંચવાની જરૂર નથી. છેવટે, જલદી રોગની તપાસ થાય છે, તે ઝડપી અને સરળ થઈ શકે છે. વિભાવના ઘણા કારણોસર ન થઈ શકે, તેમાંથી સૌથી સામાન્ય કારણો છેઃ અયોગ્ય પોષણ. વિક્ષેપિત અને અસંતુલિત આહાર કોર્પસ લ્યુટિયમ (અંડાશયમાં અસ્થાયી ગ્રંથિ) ના ખામીને ઉત્તેજિત કરી શકે છે. માણસમાં નબળા પોષણ ઉત્પાદનને અસર કરી શકે છે, નબળું વીર્ય. ઓછી ગતિશીલતા અને વીર્યની અપૂરતી ગણતરી.

આવી સમસ્યા સાથે, ઝડપથી ગર્ભવતી થવું સફળ થવાની સંભાવના નથી. આ પ્રયત્નોમાં ખરેખર ઘણો સમય લાગે છે, કદાચ વર્ષો. ધૂમ્રપાન અને આલ્કોહોલ ખૂબ જ ગંભીરતાથી પુરુષો અને સ્ત્રીઓ બંનેના પ્રજનન સ્વાસ્થ્યને અસર કરે છે. તેઓનો ત્યાગ કરવો જ જોઇએ. શરીરમાં બળતરા. સ્ત્રીનું વજન ૮૯ કિલોથી વધુ ન હોવું જોઈએ. આયુર્વેદમાં વંધ્યત્વની સારવાર વ્યક્તિની પ્રકૃતિ અને દોષ મુજબ કરવા માં આવે છે.

જે તે વ્યક્તિની પ્રકૃતિ અને વંધ્યત્વનાં કારણ ઉપર ટ્રીટમેન્ટનો આધાર રહેલો હોય છે. આ સિવાય ઘણીવાર અતિમેદસ્વીતા ર્હ્વીજૈંઅનાં કારણે પણ ઘણી સ્ત્રીઓમાં સંતાનપ્રાપ્તિમાં સમસ્યાઓ સર્જાય છે. ઘણીવાર કારણ જાતીય ચેપ છે. ટ્યુબલ અવરોધ. હોર્મોનલ ડિસઓર્ડર. આ ડિસઓર્ડરનું સૌથી ક્લાસિક લક્ષણ એક ચક્ર ડિસઓર્ડર છે.કેવી રીતે ઝડપથી ગર્ભવતી થવું, જમવાનું શરૂ કરવું,

સામાન્ય રીતે, બધા લોકો, તેઓ ગર્ભવતી બનવા માંગે છે કે નહીં, તેમની જીવનશૈલીને સામાન્ય બનાવવાની જરૂર છે. છેવટે, ધૂમ્રપાન અને આલ્કોહોલ જેવી ખરાબ ટેવો રોગપ્રતિકારક શક્તિને ગંભીરપણે નબળી પાડે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ પ્રજનન અને અવયવો કે જે હોર્મોન્સનું નિર્માણ કરે છે સહિતના અવયવોના કાર્યને ગંભીરતાથી અસર કરે છે વધારે વજન અથવા ઓછું વજન બંને ભાગીદારોના પ્રજનન સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

અસામાન્ય વજનવાળી સ્ત્રી ખાસ કરીને હોર્મોન્સના ઉત્પાદનમાં અવરોધે છે. આ હોર્મોન શરીરમાં વિશાળ સંખ્યામાં પ્રક્રિયાઓનું નિયમન કરતી મુખ્ય સ્ત્રી તત્વોમાંની એક છે. તે સહિત તે પ્રજનન અને ગર્ભાવસ્થા માટે જવાબદાર છે. આમ છતાંય જે સ્ત્રીઓ ને મેદસ્વીતા ઘટાડવા ના આયુર્વેદ ઉપચાર કરવા જ છે એમને, સૌ પ્રથમ પોતાના ફેમીલી ફિઝીશીયન અથવા જાણીતા આયુર્વેદ પ્રેકટીશનર પાસે .. ઉંમર, વજન અને ઉંચાઈ આધારીત મ્સ્ઇ નક્કી કરાવવો જોઈએ જેથી મેદસ્વીતા અને એ ઓછી કરવાનુ લક્ષ્યાંક નિર્ધારિત કરી શકાય.

મેદસ્વીતા નો સબંધ આર્તવ સાથે પણ છે એટલે એની અવધિ, પ્રમાણ, પ્રકાર, વિકાર, આદી વિશે ચર્ચા આવશ્યક છે. .આયુર્વેદ ચિકિત્સકે પણ શાસ્ત્ર ના સિદ્ધાંત અનુસાર પ્રથમ કુમારીકા, હરિદ્રા, સુવા, ગોળ, કુલત્થ કવાથ, જેવા સાદા આહારઔષધો ની યોજના કરવી જોઈએ. ..જરૂર પડે તો શુદ્ધ ગુગ્ગુલુ, અભ્રક ભસ્મ, હરિતકી, પુનર્નવામંડુર જેવા બને એટલા એકલ ઔષધ યોગ નો પ્રયોગ કરવો જોઈએ. જેથી આયુર્વેદના બતાવેલાં મેદોહર ઔષધોથી વજન ઘટાડી ત્યારબાદ વંધ્યત્વની સારવાર શરૂ કરવી જોઇએ. આ સિવાય આયુર્વેદમાં બતાવેલાં જાત્યાદિતેલથી પણ યોનિગત ગર્ભાશયગત સમસ્યાઓ માટે ઉત્તમ સારવાર છે.

આ સિવાય ઔષધ સારવારમાં નાગકેસર, બંગભસ્મ, પુષ્પધન્વારસ, વૈક્રાન્ત રસ જેવાં ઘણાં આયુર્વેદોક્ત ઔષધો બતાવ્યાં છે. જેનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો. ગર્ભાધાન થાય તે માટે ગર્ભાશયગત દોષો દૂર થઇ ગર્ભાશયની ગાદી ગર્ભસ્થાપન માટે તૈયાર થાય છે. અને સરળતાથી ગર્ભાધાન શક્ય બને છે. શુક્રજનન ગ્રૂપના ૧૦ ઔષધો આ પ્રમાણે આપવામાં આવ્યા છે.

જીવક, ઋષભક, કાકોલી, ક્ષીર કાકોલી, જંગલી મગ, જંગલી અડદ, મેદા, મહામેદા, જટામાંસી અને કુલિગ આ ઔષધો શુક્રને ઉત્પન્ન કરનાર ગણાવાય છે. કારણકે આવા કેસોમાં આધુનિક ઔષધોથી કંઈ ખાસ પરિણામ મળતું નથી જે વાંચકોની જાણે માટે લખું છું. ત્યાર પછીના ગ્રંથોમાં શુક્રદોષોના નાશ કરનાર અને શુક્ર વધારનાર અનેક ઔષધ યોગો આપવામાં આવેલા છે. સુ.મકરધવજવટી ટીકડીનું સેવન લાભપ્રદ છે. કૌચામાંથી કૌચાપાક બને છે.

જે શક્તિવર્ધક અને વીર્યવર્ધક છે. સંભોગ વખતે વીર્ય જલ્દી નીકળે તો આ ચૂર્ણ ઉપયોગી છે,તમારી સલાહ ની જરૂર છે, ૧ સફેદ મુસ્લી નું ચૂર્ણ ૨,જાયફળ નું ચૂર્ણ ૩, કૌચા ચૂર્ણ ૪,તુલસીના બીજ અથવા તુલસી ના પણ ચાલે,.. જ્યારે આયુર્વેદિય ઉપચારક્રમથી ઘણા કેસોમાં આશ્વર્ય થાય એવા ઘણાં સારા પરિણામ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.